અમદાવાદમાં સુપર સ્પ્રેડરનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આ તમામ સુપર સ્પ્રેડરનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે ત્યારે અર્જુન મોઢવાડિયાએ ખુદ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
સુપર સ્પ્રેડરને લઇ અર્જૂન મોઢવાડિયાના સરકારને સવાલ પૂછ્યો હતો. અમદાવાદમાં કોરોના સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં કોણ? બેસ્ટ સુપર સ્પ્રેડરનો એવોર્ડ તો BJP ગુજરાતના મુખિયા લઇ જશે. રૂપાણીજી જનતા તમારી પાસેથી યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખે છે. આ અંગે તેમણે ટ્વીટ કરી હતી.
अहमदाबाद / गुजरात में #COVID19 के सुपर स्प्रेडर की व्याख्या में कौन कौन शामिल हैं?
“बेस्ट सुपर स्प्रेडर” का एवोर्ड तो @BJP4Gujarat के मुखिया ही ले जायेंगे!
અમદાવાદમાં સુપર સ્પ્રેડરનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આ તમામ સુપર સ્પ્રેડરનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. આથી 15થી વધુ સ્થળો પર ટેસ્ટિંગ કરવામાં આવશે. શાકભાજી વિક્રેતા, કરિયાણા દુકાન ધારકોના ટેસ્ટ કરાશે. તેમજ નાઇ, રિક્ષા ડ્રાઈવરોના પણ ટેસ્ટ કરવામાં આવશે. કડિયા કામ કરતાં શ્રમિકોના ટેસ્ટીંગ કરાશે. આ ઉપરાંત તેમના ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર અપાશે. સુપર માર્કેટમાં કામ કરતાં કર્મચારીઓના ટેસ્ટ કરાશે. અને કેસ હશે તો સોસાયટીઓને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યુ નિવેદન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકવાર ફરીથી ગુજરાતમાં લોકડાઉનની અફવાઓને ખંડીત નિવેદન આપ્યુ છે. તે સાથે જ તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતમાં ચૂંટણીને લીધે કેસ નથી વધ્યા.
લોકોએ પેનીક થવાની જરૂર નથી. ગુજરાતમાં કોઈ લોકડાઉન નથી થવાનું. દિવસે કોઈ લોકડાઉન નહીં થાય. ગુજરાતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ભારતમાં કેસ વધી રહ્યા છે. જ્યાં ચૂંટણી નહતી ત્યાં પણ કોરોનાના કેસ વધ્યા છે. કોરોનાથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન અને વેક્સિન બે જ રસ્તા છે. લોકો આગળ આવીને વેક્સિનેશન લે તો સારૂ છે. બજેટ સત્ર ચાલુ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બજેટ સત્ર તો ચાલુ જ રહેશે.