કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. જ્યારે તો આ બાજુ ભાજપ દ્વારા પણ કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા સામે અશોભનિય અને બિનસંસદીય ભાષાનો પ્રયોગ કરવા મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ થઈ છે.
પીએમ મોદી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઈ છે. પીએમ મોદી વિરૂદ્ધ આચરસંહિતા ભંગની ફરિયાદ દાખલ થઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદી વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે.
અર્જુન મોઢવાડિયાએ ફર્સ્ટ વોટરને લઈને પીએમ મોદીએ કરેલી અપીલના પગલે આ ફરિયાદ નોંધાવી છે. અર્જુન મોઢવાડિયાની ફરિયાદ મુજબ, પીએમ મોદીએ કરેલી અપીલમાં સેનાના જવાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ એરસ્ટ્રાઈક, પુલવામા હુમલો અને સેનાનો ઉલ્લેખ કર્યો હોવાના આરોપસર આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તો આ બાજુ ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા સામે ફરિયાદ કરવામાં આવી છે. અશોભનિય અને બિનસંસદીય ભાષાનો પ્રયોગ કરવા મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ થઈ છે. આચારસંહિતા ભંગ મામલે ચૂંટણીપંચમાં અર્જૂન મોઢવાડિયા સામે ફરિયાદ થઈ છે.