રેમડેસિવિર ઈન્જેક્શન મામલે ભાજપ-કોંગ્રેસની રાજનીતિ, રેમડેસિવિર ઇન્જેક્શન મામલે અર્જુન મોઢવાડીયા ભાજપ અધ્યક્ષ પાટીલ સામે આકરા પ્રહાર કર્યા
સી.આર પાટીલની ઈન્જેક્શન મુદ્દે જાહેરાત પર રાજનીતિ
અર્જુન મોઢવાડિયાએ કહ્યું, તમામ ઈન્જેક્શનનો જથ્થો સિઝ કરો
પ્રતાપ દૂધાતે પણ સવાલ પૂછ્યા, આટલા ઈન્જેક્શન ક્યાંથી આવ્યા
સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીમાં રાજ્ય સપડાય રહ્યું છે. તો હવે ભાજપ-કોંગ્રેસ રાજનીતિ પર ઉતરી આવ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શન મામલે અર્જુન મોઢવાડીયા ભાજપ અધ્યક્ષ પાટીલ સામે આકરા પ્રહાર કર્યા છે.
ગુજરાતમાં કોરોના પીડિત દર્દીઓ માટે રામબાણ ઈલાજ મનાતા રેમડેસિવિર ઈન્જેકશન હાલ રાજ્યની કોઈ હોસ્પિટલોમાં કે ફેક્ટરીઓમાં નથી. ત્યારે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે 5000 ઈન્જેક્શન આપવાની અને મેયર હેમાલી બેને 500 ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી છે. જેને લઈ અર્જુન મોઢવાડીયા ઉકળી ઉઠ્યા હતા. અને પૂછ્યું કે, રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો હાલ જથ્થો ખૂટી પડ્યો છે.
રાજ્ય સરકારને સવાલ છે કે આ બંને પાસે આટલી મોટી સંખ્યામાં જથ્થો આવ્યો ક્યાંથી. કોને આપ્યો તેની સામે કાયદેસર કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી પગલાં લો. સાથે જથ્થો સિઝ કરી સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડે અમે સરકારની મદદ કરવા સાથે છે. રાજકારણ કરવું ન જોઈએ અમે આ મામલે નિષ્ણાતોની સલાહ લઈ કોર્ટમાં કાર્યવાહી કરીશું.
પ્રતાપ દૂધાતે કહ્યું, લોકોને પ્રિસ્ક્રિપ્શન વગર ઈન્જેક્શન નથી મળતા અને...
રેમડેસિવિર ઇન્જેક્શનને લઈ રાજ્યમાં રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. CR પાટીલના 5 હજાર ઇન્જેક્શન મુદ્દે પક્ષ-વિપક્ષ સામ સામે આવી ગયું છે. સી.આર પાટીલ પાસે 5 હજાર ઈન્જેક્શન ક્યાથી આવ્યા તેવો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કર્યો છે.
સમગ્ર મામલે તપાસ કરવાની માગણી પણ કરી છે. લોકોને આધાર-પ્રિસ્ક્રિપ્શન વિના ઇન્જેક્શન મળતા નથી. તો પાટીલને કોણે 5 હજાર ઇન્જેક્શન આપ્યા?. લોકો 24-24 કલાક લાઇનમાં ઉભા રહે છે. જ્યારે સી.આર પાટીલના ઇન્જેક્શન લેવા કોણ લાઇનમાં ઉભુ હતું તેવો કટાક્ષ પણ કર્યો છે. આરોગ્ય મંત્રી કાનાણી પણ વિતરણ કાર્યક્રમમાં હાજર હતા.