અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ક્યારે લગ્ન કરશે તે અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ વાત પર હજી પણ સસ્પેન્સ છે કે, આખરે આ બંને ક્યારે લગ્ન કરશે. મળતી માહિતી પ્રમાણે મલાઈકા તો લગ્ન કરવા તૈયાર છે પણ અર્જુનને કારણે મોડું થઈ રહ્યું છે.
મલાઈકા-અર્જુને લગ્ન અંગે સામે આવી આ વાત
પરવાન ચડ્યો છે બંનેનો પ્રેમ
પણ આ કારણથી બંને નથી કરી રહ્યાં લગ્ન
એવું જાણવા મળ્યું છે કે, અર્જુન કપૂર હાલ લગ્ન કરવા માટે તૈયાર નથી. જોકે, તેનો પરિવાર તો ઈચ્છે છે કે તે જલ્દી લગ્ન કરી લે. પરંતુ અર્જુન તૈયાર નથી. અર્જુન મુજબ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે લગ્ન કરી લઈશું.
એક ઈન્ટરવ્યૂમાં અર્જુને મલાઈકા સાથેના તેના રિલેશન વિશે વાત કરતાં કહ્યું હતું કે, હું જરૂર કરતાં વધારે મેચ્યોર છું, જેના કારણે ઘણી વખત મને પરેશાની પણ થાય છે. જેથી લગ્ન જેવો મોટો નિર્ણય લેતા પહેલાં બધું સમજી વિચારી લેવું ખૂબ જ જરૂરી છે. જેથી આ નિર્ણય લેવામાં ઉતાવળ પણ નહીં થાય અને મોડું પણ નહીં થાય. યોગ્ય સમય આવતાં જ અમે લગ્ન કરી લઈશું.
અર્જુને તો એટલે સુધી કહી દીધું છે કે, તે આ સંબંધને કોઈનાથી છુપાવવા માંગતો નથી. તેને લાઈફમાં સેટલ થવું છે. તે લગ્ન કરવા માંગે છે. બસ લગ્ન ક્યારે અને ક્યાં થશે એની રાહ જોવાની છે. જોકે, મળતી માહિતી પ્રમાણે મલાઈકા અને અર્જુનના લગ્નમાં અર્જુના બિઝી શેડ્યૂલને કારણે પણ મોડું થઈ રહ્યું છે.
અર્જુન આ વર્ષે 2 ફિલ્મોમાં જોવા મળશે. તે દિબાકર બેનર્જીની ફિલ્મ 'સંદીપ અને પિંકી ફરાર'માં કામ કરશે. તેની ઓપોઝિટ પ્રિયંકા ચોપડાને કાસ્ટ કરવામાં આવી છે.
A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on
જ્યારે મલાઈકાની વાત કરીએ તો તે એક ડાંસ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે. તે ઈન્ડિયાસ બેસ્ટ ડાંસરમાં જજની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે ગીતા કપૂર અને ટેરેન્સ લૂઈસ પણ જજ તરીકે જોવા મળશે.