અર્જુન કપૂર તેની અપકમિંગ ફિલ્મ 'પાનીપત'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અર્જુનનો લુક તેની અગાઉની ફિલ્મો કરતાં સાવ અલગ છે. આ લુક હાંસલ કરવા માટે અર્જુને પોતાની જાતમાં ઘણાં ચેન્જિસ કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ અંગે જણાવ્યું છે.
અર્જુને શેર કર્યો એક વીડિયો
મરાઠા લુક માટે તેણે શેવ કરાવ્યા વાળ
6 ડિસેમ્બરે રિલીઝ થશે ફિલ્મ
અર્જુને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 13 સેકન્ડની એક શોર્ટ વીડિયો ક્લિપ શેર કરી છે. વીડિયોમાં અર્જુન માથાના વાળ શેવ કરાવવાથી લઈ પેશવા અને મરાઠા સૈનિકના લુક માટેની તૈયારીના અનુભવ શેર કર્યા છે. વીડિયોમાં તે એક સલૂનમાં જોવા મળી રહી છે જ્યાં તેણે વાળ શેવ કરાવતા દેખાઈ રહ્યો છે.
એક મરાઠા લુકને હાંસલ કરવા માટે અર્જુને કહ્યું, 'હું એ વાત પર એગ્રી નહોતો થઈ રહ્યો કે હું પેશવાની જેમ મરાઠા જેવો દેખાઈ શકું છું, પરંતુ આશુ સર (આશુતોષ ગોવારિકર) આ વાત જાણતા હતા. તે બહુ જ ઝીણવટથી કામ કરનાર વ્યક્તિ છે. તેમણે પાત્ર અને મને લઈને રિસર્ચ પણ કર્યું હતું. તેમણે મારી ફિલ્મો અને મારી તસવીરો જોઈ હતી. તેઓ મારા પાત્રને લઈને એકદમ ક્લીયર હતા.' આ વીડિયોની સાથે કેપ્શનમાં અર્જુને લખ્યું, 'પાનીપતના સદાશિવ રાવ ભાઉનું અનાવરણ'.
6 ડિસેમ્બરે રિલીઝ થશે ફિલ્મ
વાત કરીએ ફિલ્મ 'પાનીપત' ફિલ્મની તો તેાં અર્જુન કપૂર, કૃતિ સેનન, સંજય દત્ત, પદ્મિની કોલ્હાપુરી અને ઝીનત અમાન મુખ્ય રોલમાં જોવા મળશે. ફિલ્મ આશુતોષ ગોવારિકરે ડિરેક્ટ કરી છે અને સુનિતા ગોલારિકર અને રોહિત ગોવારિકરે ફિલ્મનું પ્રોડક્શન કર્યું છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકશે કે નહીં તે જોવાનું રહ્યું.