'કબીર સિંહ' વર્ષ 2019ની સૌથી હિટ ફિલ્મોમાંથી એક સાબિત થઇ ચૂકી છે. શાહિદ કપૂર અને કિયારા અડવાણીની આ ફિલ્મે બોક્સ ઑફિસ પર લગભગ 275 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ રિલીઝ થયા પછી ઘણા લોકોએ ટીકા કરી હતી પરંતુ ઓડિયન્સને શાહિદ કપૂરની લવ સ્ટોરી પસંદ આવી. જોકે ફિલ્મને લઇને અર્જૂન કપૂરે એક મોટું નિવેદન આપ્યુ છે.
કબીર સિંહને લઇને અર્જૂન કપૂરનો ખુલાસો
અર્જૂન કપૂરનો ખુલાસો. મને લેવા ઇચ્છતા હતા પ્રોડ્યુસર્સ
ફિલ્મે કરી 275 કરોડની કમાણી
એક રિપોર્ટ અનુસાર, અર્જૂન કપૂર આ ફિલ્મમાં કામ કરવા ઇચ્છતો હતો પરંતુ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા પહેલા શાહિદ કપૂરને પ્રોમિસ કરી ચૂક્યા હતા. ચર્ચા એવી હતી કે જ્યારે મેકર્સ મુરાદ શેટ્ટી અને અશ્વિન વર્દેએ અર્જૂન રેડ્ડીના હિંદી રાઇટ્સ લીધા હતા અને તેઓ ફિલ્મમાં અર્જૂન કપૂરને કાસ્ટ કરવા ઇચ્છતા હતા.
અર્જૂન કપૂરે કહ્યુ કે, આ મામલો તે સ્ટેજ સુધી ના પહોંચી શક્યો, જ્યાં હું પસંદ કરતો અને છોડતો. જ્યારે અશ્વિન અને મુરાદે ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા ત્યારે તેમના મગજમાં મારું નામ ફિટ હતુ. પરંતુ ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા શાહિદ કપૂરને મળી ચૂક્યા હતા, શાહિદ સાથે તેઓ પહેલા જ ફિલ્મ જોઇ ચૂક્યા હતા. આ માટે શાહિદ સાથે ફિલ્મ કરવાનો નિર્ણય કરી દીધો. તમને જણાવી દઇએ, મુરાદ શેટ્ટી અને અશ્વિન વર્દે એ 'મુબારકા' બનાવી હતી.
અર્જૂન કપૂરે આગળ કહ્યુ કે, ''ફિલ્મને ડિરેક્ટ કરવા માટે સંદીપ વાંગાની જરૂર હતી. ફિલ્મમાં પાગલપન અને સાઇકો કેરેક્ટર બતાવવાનું હતુ, વાર્તા સિમ્પલ છે, પરંતુ તેને બનાવવા માટે એક પાગલપાનની જરૂર હતી. સંદીપ રેડ્ડી વાંગા પહેલાથી પોતાની રીતે કંઇ ચૂક્યા હતા અને તેઓ પોતાની વાત ખરાબ ન હતા કરવા ઇચ્છતા અને હું તેમના નિર્ણયને માન આપું છું. હું નહતો ઇચ્છતો કે મારા પ્રોડ્યુસર્સ ફિલ્મના રાઇટ્સ લઇને બેસી રહે અને અહંકારને કારણે મારા વગર તેણે બનાવે જ નહી.''
શાહિદ કપૂરને લઇને અર્જૂન કપૂરે કહ્યુ કે, '''મેકર્સની ચોઇસ સારી હતી, તેમણે ઘણું સારું કામ કર્યુ અને ફિલ્મે 275 કરોડ રૂપિયા કમાઇ લીધા હતા.'' તમને જણાવી દઇએ કે, અર્જૂન કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ 'પાનીપત' ની તૈયારીઓમાં લાગ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન આશુતોષ ગોવારિકર કરી રહ્યો છે. ફિલ્મમાં અર્જૂન કપૂર સિવાય સંજય દત્ત અને ક્રિતિ સેનન જેવા સ્ટાર્સ પણ હતા. આ સિવાય અર્જૂન કપૂરની પાસે 'સંદીપ ઔર પિંકી ફરાર' પણ છે.