બોલિવુડ એક્ટર અર્જૂન કપૂર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. બોની કપૂર અને તેમની પહેલી પત્ની મોના કપૂરનો દિકરો અર્જૂને આ વખતે કોઇ ફિલ્મ માટે નહીં પરતું લગ્નને લઇને ચર્ચામાં છે. અર્જૂનની ફેન ફૉલોઇંગ સારી છે. તાજેતરમાં જ અર્જૂને પોતાના લગ્નના પ્લાનને લઇને ખુલાસો કર્યો છે જેના પ્લાન વિશે જાણીને તમે પણ ચોંકી જશો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્જૂન કપૂરે કહ્યુ કે ''જ્યારે અનિલ કપૂરની દિકરી રિયા કપૂર અને મારી નાની બહેન અંશુલાના લગ્ન થઇ જશે તે પછી લગ્ન કરીશ. અર્જૂને આગળ કહ્યુ કે મને ખબર નથી કે કેટલો સમય લાગશે. બની શકે કે બંનેના લગ્ન થવામાં 4-6 વર્ષ પણ લાગી શકે છે પરંતુ મારી બહેનોના લગ્ન પછી જ લગ્ન કરીશ.''
સોનમના લગ્નને યાદ કરતા અર્જૂને કહ્યુ કે ''આ લગ્નમાં સૌથી વધારે ખુશ અનિલ કપૂર હતા કેમકે લોકો તેમને સોનમ કપૂરના પપ્પા જેવા નથી લાગી રહ્યા અને હજુ યંગ છો તેવું કોમ્પિલેમેન્ટ આપી રહ્યા હતા. લોકોએ તેમ પણ કહ્યુ કે લાગી રહ્યુ છે કે તેમની બહેનના લગ્ન છે.''
તમને જણાવી દઇએ કે હાલમાં અર્જૂન કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'ની રિલીઝની રાહ જોઇ રહ્યા છે. ફિલ્મની અર્જૂનની સાથે 'ઇશ્કઝાદે' જોવા મળેલી કૉસ્ટાર પરિણીતી ચોપરા જોવા મળશે. આ સિવાય અર્જૂન કપૂર 'ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન રાજ કુમાર ગુપ્તા કરી રહ્યા છે.