એક્ટર અર્જૂન કપુર પોતાની ફિલ્મો સિવાય જો કોઇ વાતને લઇને સતત ચર્ચામાં રહેતો હોય તો તે છે મલાઇકા અરોર સંગ તેની રિલેશનશીપ. બંન્નેના લગ્નની અફવાઓ વારંવાર મીડિયામાં આવતી રહે છે. આ મામલે બંન્નેએ નકારમાં જવાબ વાળ્યો છે. ત્યારે તાજેતરમાં જ અર્જૂન કપૂરે પોતાના અંગત જીવન વિશે એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી.
બોલિવૂડ હંગામાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં મલાઇકાના વિષયમાં પૂછવામાં આવેલ સવાલને લઇને અર્જૂન કપૂરે કહ્યું કે, મારું જીવન બાળપણથી જ એક રોલર કોસ્ટરની જેમ જ રહ્યું છે. હું વધારે ઊંચી છલાંગ લગાવવા નથી માગતો, હું એકવારમાં એક જ સ્ટેપ લેવા માગું છું.
આપ સૌના આશિર્વાદ અને મારા વિશે ચિંતા કરવા બદલ આભાર. હું જ્યારે લગ્ન કરીશ અને જો લગ્ન કરીશ તો બધાને જણાવીશ જ. આ બાબતમાં છૂપાવવાનું શું હોય.
આ સાથે જ સિનેજગતના જાણીતા સિતારા અર્જૂન કપૂર વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન અંગે તાજેતરમાં કોઇ જ પ્લાન નથી. અત્યારે હું ઘણો ખુશ છું. જે રીતે મીડિયા અને ચાહકો મારા અંગત અને પ્રોફેશનલ જીવનને લઇને રિસપેક્ટફુલ રહ્યા છે તેને લઇને હું આભાર માનું છું. મને ઘણું સન્માન મળ્યું છે.
અર્જૂનને વધુમાં પૂછવામાં આવ્યું કે, જ્યારે તમારા લગ્નની અફવાઓ ઉડે છે ત્યારે કેવો અહેસાસ થાય છે. અર્જૂન કપૂરે આ પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, અમારા પ્રોફેશનમાં આ પ્રકારની અફવાઓ તો સતત આવતી જ રહે છે. જો કે, એ વાત હકીકત છે કે, મારી ઉંમરના મિત્રોના લગ્ન થઈ ગયા છે.