અર્જુને લગ્નના પ્રશ્નો પર તો સારી બેટિંગ કરી. પરંતુ મલાઇકાનો પ્રશ્ન આવ્યો તો કહી દીધી આટલી મોટી વાત.
છેલ્લા કેટલાક મહિનાથી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર સાથે લગ્નના સમાચારે જોર પકડ્યું છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે લગ્ન એપ્રિલમાં છે. હવે સમાચાર મળ્યા છે કે લગ્ન જૂનમાં થશે. અર્જુન કપૂર પહેલી વખત મલાઇકાની સાથે લગ્ન પર ખુલીને નિવેદન આપ્યું છે.
અર્જુને એક મીડિયાને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એ માત્ર 33 વર્ષનો છ અને એને લગ્ન કરવા માટે કોઇ ઊતાવળ નથી. અર્જુને એવું પણ કહ્યું કે મલાઇકા એના માટે ખૂબ સ્પેશિયલ છે. અર્જુને કહ્યું કે એ જ્યારે પણ લગ્ન કરશે પહેલાથી જાહેરાત કરી દેશે.
અર્જુને કહ્યું કે ના હું લગ્ન કરી રહ્યો નથી. હું માત્ર 33 વર્ષનો જ છું. મને લગ્ન માટે કોઇ ઊતાવળ નથી. મારા લગ્ન એવો કોઇ મુદ્દો નથી જેના માટે હું બધાને કહેતો રહું. સાચું કહું તો જ્યારે હું લગ્ન કરીશ તો પહેલાથી જણાવીશ. અત્યારે એવું કંઇ થઇ રહ્યું નથી કે જેને હું છુપાવું.
અર્જુન કપૂરને પોતાના લગ્નની અફવાઓ પર આપત્તિ નથી. એને લાગે છે કે મીડિયા માત્ર એનું કામ કરી રહી છે. સાથે અર્જુને એ વાતની પણ પરેશાની નથી કે લોકો એના અને મલાઇકા માટે શું વિચારી રહ્યા છે. એ પોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.
અર્જુન કહે છે કે, 'મને ખબર છે કે બૉલીવુડમાં વેડિંગ સીઝન ચાલી રહી છે. પરંતુ લગ્ન એક મોટું કમિટમેન્ટ છે. હું લગ્ન ત્યારે કરીશ જ્યારે એના માટે હું તૈયાર થઇશ.' અર્જુને એવું પણ કહ્યું કે મલાઇકા એની લાઇફમાં ખાસ જગ્યા બનાવી રાખે છે.