કોરોના વાયરસના સંક્રમણનો ખતરો હવે ભારતમાં પણ સતત વધતો જઈ રહ્યો છે. જેથી આ જંગ સામે લડવા અનેક બોલિવૂડ સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે અને દિલ ખોલીને દાન પણ કર્યું છે. જેમાં શાહરૂખ, સલમાનથી લઈ અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન બાદ હવે અર્જુન કપૂરનું નામ આ લિસ્ટમાં જોડાયું છે. અર્જુને પીએમ રિલીફ ફંડ અને સીએમ રિલીફ ફંડમાં દાન કરવાની સાથે અન્ય કેટલીક સંસ્થાઓમાં પણ દાન કર્યું છે.
કોરોના સંકટમાં બોલિવૂડ દિલ ખોલીને કરી રહ્યું છે દાન
આ વાતની જાણકારી અર્જુને પોતે એક પોસ્ટ કરીને આપી છે. અર્જુને લખ્યું- ભારત અત્યારે સંકટ સમયમાં છે અને જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવાની જરૂર છે. આપણાં સાથી ભાઈ-બહેનોને આપણી જરૂર છે. હું મારી તરફથી વધુને વધુ લોકોને મદદ કરવાની કોશિશ કરીશ. આમાં સહયોગ આપો.
આગળ અર્જુને લખ્યું-એકતામાં જ તાકત છે. એક્ટરની આ પોસ્ટમાં લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એક્ટર અર્જુન કપૂર મલાઈકા અરોરાને ડેટ કરવાને લઈને ચર્ચામાં રહે છે.
આ બંને કપલની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જોકે, આ બંનેએ ઓફિશિયલી તેમના રિલેશન વિશે કોઈ જાહેરાત કરી નથી પરંતુ બંનેના અફેરની ચર્ચા અવારનવાર થતી રહે છે.