ગત કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્દ ખાનને (Arif Mohammad Khan) મોદી સરકારે કેરળના રાજ્યપાલ બનાવ્યા છે. બહુચર્ચિત શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને તાત્કાલીક વડાપ્રધાન રાજીવ ગાંધી સરકાર દ્વારા અમાન્ય જાહેર કરવાના વિરોધમાં આરિફ મોહમ્મદ ખાનના મંત્રીમંડળથી રાજીનામુ આપી દીધું હતું.
ગત દિવસે આરિફ મોહમ્મદ ખાનના નિવેદનનો હવાલો આપી પીએમ મોદીએ સંસદમાં કહ્યું હતું, કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે મુસ્લિમ જો ખાડામાં રહેવા ઇચ્છે છે તો રહેવા દો શું અમે મુસ્લિમોના સમાજ સુધારક છીએ. ત્યારબાદ આ વાતની પુષ્ટી આરિફ મોહમ્મદ ખાને આમ કહેતા કરી કે જ્યારે એમણે ત્રણ તલાક મુદ્દા પર રાજીવ ગાંધી સરકારથી રાજીનામુ આપી દીધુ હતું. તો પીવી નરસિમ્હા રાવે તેમને આ વાત કહી હતી.
કેરળમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પી સદાશિવમની જગ્યાએ નવા રાજ્યપાલ બનાવેલ આરિફ મોહમ્મ્દ ખાન (68) મુસલમાનોમાં એક સાથે ત્રણ તલાક બોલીને પત્નીથી સબંધ ખતમ કરવાની પરંપરાના કડક વિરોધી છે અને લાંબા સમયથી મુસ્લિમ પર્સનલ લૉમાં બદલાવની વકાલત કરતા રહ્યા છે. શાહ બાનો મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો શરૂઆતના દિવસોમાં રાજીવ ગાંધી સરકાર દ્વારા સમર્થન કરવા પર 1985માં સંસદમાં ખાનનું ભાષણ ખુબ જ મહત્વપૂર્ણ છે.
જોકે, બાદમાં મુસલમાન મૌલવીઓના કથિત દબાણમાં આવી રાજીવ ગાંધી સરકારે સંસદમાં એક બિલ પસાર કરી શાહ બાનો મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમાન્ય કરાર કર્યો. તેથી આરિફ મોહમ્મદ ખાન તાત્કાલિક મંત્રીમંડળથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ આરિફ મોહમ્મદ ખાન ભાજપમાં સામેલ થઇ ગયા હતા. જોકે, હવે એમણે સક્રિય રાજનીતીમાં નથી. હાલમાં જ મોદી સરકાર દ્વારા ત્રણ તલાક બિલ લાવવા પર ખાને તેમનું સમર્થન કર્યું.