વાસ્તુ શાસ્ત્રી કહે છે કે જ્યારે કોઈ પણ વસ્તુને યોગ્ય દિશામાં રાખવામાં આવે છે ત્યારે તે સારું પરિણામ આપે છે. વાસ્તુમાં ઘણા એવા ઝાડ અને છોડ જણાવવામાં આવ્યાં છે. જેને એક નિશ્ચિત દિશા અને જગ્યા પર ઉગાડવામાં આવે તો ઘરમાં સમૃદ્ધી આવે છે.
સ્પાઈડર પ્લાન્ટને લગાવવાથી ભાગ્ય ઉઘડે છે
વાતાવરણમાં સકારાત્મક એનર્જી આવે છે
આ પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે
સ્પાઈડર પ્લાન્ટને આ ખૂણામાં ન લગાવવો જોઈએ
આ છોડ દેખાવમાં સુંદર દેખાય છે, ઘરમાં સકારાત્મક એનર્જી લાવે છે અને ધન આગમનના રસ્તા ખોલે છે. સ્પાઈડર પ્લાન્ટ આવા જ પ્રકારનો એક છોડ છે, જે દેખાવે સુંદર અને નાનો છે. જેને ઘરની અંદર લગાવી શકાય છે. માન્યતા છે કે સ્પાઈડર પ્લાન્ટને લગાવવાથી ભાગ્ય ઉઘડે છે, વાતાવરણમાં સકારાત્મક એનર્જી આવે છે અને ત્યાં રહેતા લોકોનો મૂડ સારો બને છે. આ છોડને તમે ક્યાય પણ લગાવી શકો છો. પરંતુ તેને ક્યારેય ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ના લગાવવો જોઈએ. આ છોડને બાલકની, બાથરૂમ, સીડીઓ, લિવિંગ રૂમ, સ્ટડી અથવા કોઈ પણ છાંયડાવાળી જગ્યાએ મુકી શકો છો.
આ પ્લાન્ટને રાખવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે
સ્પાઈડર પ્લાન્ટને તમે પોતાના ઘર અથવા કાર્યસ્થળ પર રાખી શકો છો. આ પ્લાન્ટને તમે જ્યાં પણ રાખશો ત્યાં સકારાત્મક એનર્જી ફેલાય છે. જો તમે તેને ઑફિસમાં રાખો છો તો ત્યાંનો માહોલ સારો રહે છે. સ્ટાફમાં એનર્જી રહે છે, વેપારમાં વિકાસ થાય છે, આવક વધે છે. આ રીતે ઘરે રાખવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે, પરિવારમાં પ્રેમ વધે છે અને સુખ-સમૃદ્ધી આવે છે.
ઘર-પરિવારની દિશા બદલવામાં અસરકારક
વાસ્તુ નિષ્ણાંત માને છે કે સ્પાઈડર પ્લાન્ટ ઘર-પરિવારની દિશા બદલવામાં અસરકારક છે, પરંતુ આ વાતનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ કે આ છોડ હંમેશા હર્યોભર્યો રહે છે. આ છોડ બિલ્કુલ પણ સુકાવવો ના જોઈએ. છોડનુ સુકાઈ જવુ નકારાત્મકતાને ફેલાવે છે અને સકારાત્મકતાનુ હનન કરે છે. સુકાઈ ગયેલા છોડને હટાવીને નવો છોડ લઇ આવો.