સેલેરી એકાઉન્ટ જીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. જો તેમાં ત્રણ મહિના સુધી સેલેરી ન પહોંચી તો તે બચત ખાતાની શ્રેણીમાં આવી જાય છે.
નોકરી છોડ્યા બાદ સેલેરી એકાઉન્ટને તરત કરો બંધ
નહીં તો બાદમાં થશે મુશ્કેલી
વિવિધ સર્વિસનો લાગી શકે છે ચાર્જ
હકીકતે સેલેરી એકાઉન્ટ ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. જો તેમાં ત્રણ મહિના સુધી સેલેરી નહીં પહોંચે તો તે બચત ખાતાની શ્રેણીમાં આવી જાય છે. નિયમો હેઠળ બચત ખાતામાં એક મંથલી એવરેજ બેલેન્સ રાખવાનું હોય છે. જે ન્યૂનતમ 500 રૂપિયાથી લઈને 10 હજાર સુધી થઈ શકે છે. ન્યૂનતમ રકમ જમા ન રાખવા પર પોતાની પોલિસીના હિસાબથી તમારા ખાતામાંથી પૈસા કાપવાના શરૂ કરી દેવામાં આવે છે.
બેન્કમાં ખાતુ ખોલાવવા પર કોઈ અલગથી ચાર્જ નથી લાગતો પરંતુ ઘણી બેન્ક પોતાના ડેબિટ કાર્ડ પર અમુક ફીઝ લે છે. તે ફીસ વાર્ષિક 100થી 1000 રૂપિયા સુધી હોય છે. જો તમે પોતાના એકાઉન્ટનો ઉપયોગ નથી કરી રહ્યા તો પણ તમારે ડેબિટ કાર્ડની ફિસ ભરવી પડશે. બેન્ક પોતાના ફોન પર SMS મોકલવાનો ચાર્જ પણ વસુલે છે. જે 30 રૂપિયા પ્રતિ ત્રણ મહિના હોઈ શકે છે.
આ રકમ પર 18 ટકા જીએસટી અલગ લાગે છે. આ પ્રકારે બેન્ક પોતાના ખાતાથી વિવિધ સર્વિસના પૈસા કાપે છે. જ્યારે ખાતામં જમા રકમ શૂન્ય થઈ જાય છે તો તેના પર તમારે પેનલ્ટી પર પેનલ્ટી જોડાતી જાય છે. આ રકમ જમા કરવા પર બેન્ક તમને ડિફોલ્ટર પણ જાહેર કરી શકે છે. એવી સ્થિતિમાં તમારો સિવિલ રેકોર્ડ ખરાબ થઈ શકે છે.
12 મહિના સુધી કોઈ લેવડ દેવડ ન કરવા પર શું થશે?
જો તમે પોતાના બેન્ક એકાઉન્ટમાં સતત 12 મહિના સુધી કોઈ લેવડ દેવડ નથી કરી શકતા તો બેન્ક તમારા ખાતાને ઈનએક્ટિવ એકાઉન્ટ માની લેશે. જો તમે તેમાં આવતા 12 મહિના સુધી કોઈ લેવડ દેવડ ન કરો તો આ ખાતુ ડોમેન્ટ એકાઉન્ટની શ્રેણીમાં આવી જાય છે.
જોકે ઈનએક્ટિવ એકાઉન્ટમાં બેન્ક લેવડ દેવડ કરવાનો બેન્ક ઈનકાર નથી કરતી. પરંતુ કોઈ ડોમેન્ટ એકાઉન્ટથી તમે નેટ બેન્કિંગ, એટીએમ ટ્રાન્ઝેક્શન અથવા મોબાઈલ બેન્કિંગ નથી કરી શકતા. અહીં સુધી કે બેન્ક તમને ડિબેટ કાર્ડ, ચેક બુક અને એડ્રેસ બદલવા માટે પણ ના પાડી શકે છે.