વૃદ્ધો અને ફ્રન્ટ લાઈન વર્કર્સને અપાશે કોરોનાનો ત્રીજો ડોઝ
પ્રીકોશનનો ડોઝ લેતી વખતે ડોક્ટરનું સર્ટિફિકેટ જરૂરી નથી
ભારતમાં પાત્રતા ધરાવતા જૂથોને આવતીકાલથી એટલે કે કોરોનાનો ત્રીજો ડોઝ મળશે. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં 15થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવાની જાહેરાત કરી હતી. તેમણે લાયક લોકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ પણ જાહેર કર્યો હતો. સરકાર તેને બુસ્ટરને બદલે પ્રીકોશનનો ડોઝ ગણાવી રહી છે.જ્યારે 15થી 18 વર્ષની વય જૂથની વેક્સિન 3 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, ત્યારે લાયક વસ્તી માટે ત્રીજો ડોઝ કાર્યક્રમ હવે 10 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. કો-વિન એપ્લિકેશન પર પ્રીકોશન ડોઝ માટે નોંધણી 8 જાન્યુઆરીથી શરૂ થઈ હતી.
આ રહી પ્રીકોશન ડોઝ સંબંધિત તમામ માહિતી
1. ફ્રન્ટલાઇન વર્કર્સ અને કોમોર્બિડિટી ધરાવતા વરિષ્ઠ નાગરિકો ત્રીજા ડોઝ માટે પાત્ર છે.
2.પ્રીકોશનનો ડોઝ લેતી વખતે ડોક્ટરનું સર્ટિફિકેટ જરૂરી નથી, પરંતુ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
3. બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિનાનું અંતર હોવું જોઈએ. તેથી, જો તમને એપ્રિલ 2021ના પહેલા અઠવાડિયા સુધીમાં તમારો બીજો ડોઝ મળ્યો હોય, તો જ તમે પ્રીકોશન ડોઝ માટે લાયક હશો. અન્યથા, તમારે 39 અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.
4. જો તમે કોવિશિલ્ડના પ્રથમ બે ડોઝ લીધા હોય, તો તમારો ત્રીજો ડોઝ પણ કોવિશિલ્ડ હશે. કોવેક્સિનને લગતો નિયમ પણ આ જ છે. સરકારે વેક્સિન મિક્સની મંજૂરી આપી નથી.
5. કો-વિન પર નવા રજિસ્ટ્રેશનની જરૂર નથી. એપોઇન્ટમેન્ટ સાઇટ પરથી બુક કરી શકાય છે. અન્યથા, વોક-ઇનની પણ મંજૂરી છે.
6. મતદાર ઓળખપત્ર, આધાર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ એ આરોગ્ય મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત દસ્તાવેજો છે. એટલે કે ત્રીજો ડોઝ લેતી વખતે તમે આ દસ્તાવેજો બતાવી શકો છો.
7. સરકારી હોસ્પિટલોમાં આ અગ્રતા જૂથોનું રસીકરણ મફત છે.
બુસ્ટર ડોઝ કેટલો મહત્વપૂર્ણ છે?
ઘણા દેશો તેમના લોકોને બુસ્ટર ડોઝ આપી રહ્યા છે. ભારતમાં તેને બુસ્ટર ડોઝ નહીં પણ પ્રીકોશન ડોઝનું નામ આપવામાં આવ્યું છે. કોવિડ-19 ના કેસોમાં તાજેતરની વૈશ્વિક તેજીને ધ્યાનમાં રાખીને આ ત્રીજો ડોઝ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં પણ કેસો ઝડપથી વધી રહ્યા છે.