મોટાભાગના લોકોને ચા પીવાની આદત હોય છે. સવાર પડતાની સાથે જ ગરમા ગરમ સમાચાર વાચવાની સાથે ચા પણ યાદ આવે છે. સવારે ઉઠતાની સાથે જ ચાના રસીકોને ચાની યાદ આવે છે.
ધણાના ધરમાં તો સવારથી 9 વાગતા વાગતાતો 4થી5 વખત ચા બની ગઈ હોય છે. ચા દરેક ગલી નુક્કડમાં સરળતાથી મળી પણ જાય છે. પણ તમે જરૂર અનુભવ કર્યું હશે કે કયાંકની ચા બહુ સ્વાદિષ્ટ હોય છે તો કેટલીક જગ્યાની ચામાં સ્વાદ જ નહી આવે છે તેના પાછળની એક માત્ર કારણ છે તેને બનાવવાની રીત.
પરંતુ શું તમે જાણો છો કે ચાને ફ્રેશ બનાવીને જ પીવી જોઈએ વારંવાર ગરમ કરીને ચા ન પીવી જોઈએ કારણકે વારંવાર ઉકાળેલી ચા પીવાના કારણે તે તમારા શરીરને નુકશાન કરે છે. તો આરીતે બચાવો તમારા શરીરને ચા ને કારણે થતા નુકશાનથી.
એક માણસ માટે એક નાની ચમચી ચાની પત્તી નાખવી યોગ્ય હોય છે. 100 મિલી પાણીમાં બે ગ્રામ ચાપત્તી નાખવી જોઈએ. પાણીને સારી રીતે ઉકાળવું જોઈએ. જેનાથી ચાનો રંગ ખૂબ સરસ આવે છે.
પાણીને પહેલા એક વાર ઉકાળી લો પછી જ તેમાં ચાપત્તી નાખવી. ચાપત્તીને હમેશા એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને રાખવી જોઈએ તેનાથી પત્તીઓ તાજી રહે છે.
ચા પીવાના કપની વાત કરીએ તો ચીનીમાટીની કપ સૌથી બેસ્ટ હોય છે. કાળી ચા એટલે કે બ્લેક ટીને પાંચ મિનિટ ઉકાળવી જોઈએ. તેમજ ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂર નહી હોય છે. તેના માટે માત્ર ત્રણ મિનિટ જ ઘણું છે.
ચા બનાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે પહેલા પાણીમાં ચાપતીને સારી રીતે ઉકાળો અને દૂધ આખરે નાખો. તેનાથી ચાનો સ્વાદ સારી રીતે આવે છે.