સ્લીપ ડિસઓર્ડર થવાના ઘણા કારણો હોય શકે છે પરંતુ ઘણી વખત આ સમસ્યા રાત્રે ખાવાની ખોટી આદતોને કારણે પણ થઈ શકે છે.
રાત્રે નિંદર ન આવી તેને સ્લીપ ડિસઓર્ડર કહેવામાં આવે છે
કેમ નથી આવતી રાત્રે નિંદર
રાત્રે સૂતા પહેલા ન ખાવી જોઈએ આ વસ્તુ
રાત્રે નિંદર ન આવી તેને સ્લીપ ડિસઓર્ડર કહેવામાં આવે છે. સ્લીપ ડિસઓર્ડર એ હાલના સમયમાં વધુ પડતાં લોકોમાં જોવા મળતી મુખ્ય સમસ્યા બની ગઈ છે. સામાન્ય રીતે તેના માટે વિચિત્ર લાઈફસ્ટાઈલ અને અનહેલ્થી ફૂડની આદતો જવાબદાર છે. કેટલાક લોકોને રાત્રે ઊંઘ નથી આવતી અને આખી રાત તેઓ પડખા ફેરવ્યા કરે છે. આવી સ્થિતિમાં બીજા દિવસે પણ થાક લાગે છે.
કેમ નથી આવતી રાત્રે નિંદર
સ્લીપ ડિસઓર્ડર થવાના ઘણા કારણો હોય શકે છે પરંતુ ઘણી વખત આ સમસ્યા રાત્રે ખાવાની ખોટી આદતોને કારણે પણ થઈ શકે છે. સામાન્ય રીતે જે લોકો રાત્રે ભોજન નથી કરતા તેમને સારી ઊંઘ નથી આવતી પણ ઘણી વખત એવું બને કે તમે રાત્રે એવી વસ્તુઓ ખાઓ ખાઈ લો છો જેને કારણે પણ નિંદર નથી આવતી. આજે અમે તમને જણાવશું કે કઈ વસ્તુઓ રાત્રે સૂતા પહેલા ન ખાવી જોઈએ...
1. ચોકલેટ
દરેક ઉંમરના લોકોને ચોકલેટ ખાવી પસંદ હોય છે. પણ તમને જણાવી દઈએ કે આ મીઠી વસ્તુ સ્વાસ્થ્ય માટે ઘણી નુકશાનદાયક છે. જો ચોકલેટને રાત્રે સૂતા પહેલા ખાવામાં આવે તો તેને કારણે નિંદર ન આવવાની સમસ્યા થઈ શકે છે.
2. ચિપ્સ
ઘણી વખત રાત્રે હલકી-ફૂલકી ભૂખ સંતોષવા માટે લોકો ચિપ્સના ઘણા પેકેટો ખતમ કરી જાય છે. જો કે આવું બિલકુલ ન કરવું જોઈએ કારણ કે ચિપ્સના આવા પેકેટ આપણા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. રાત્રે ચિપ્સ ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે અને પછી પેટમાં ગડબડ શરૂ થઈ શકે છે.
3. લસણ
લસણનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. લસણ આપણા ભોજનનું સ્વાદ વધારે છે. તેમાં ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જેની મદદથી આપણા શરીરના હાડકા મજબૂત થવા લાગે છે. પરંતુ તેને રાત્રે ખાવાથી તમારી ઊંઘમાં ખલેલ પંહોચી શકે છે. કારણ કે તેમાં રહેલા રસાયણો શરીરમાં બેચેની વધારી શકે છે.