નવા વર્ષમાં ટેક્સ કેવી રીતે બચાવવો તે માટે અમે તમને અમુક રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
દર વર્ષે આવકવેરા રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવું જરૂરી
અધિનિયમ 1961 ની કલમો હેઠળ સરકાર પણ કરમાં મુક્તિ આપે છે
ટેક્સ સેવિંગ સ્કીમમાં કરો રોકાણ
નવા વર્ષને આવવામાં માત્ર ગણતરીણઆ દિવસો બાકી છે અને 2023માં જો તમે પણ ટેક્સ બચાવવા માંગો છો તો એ માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ માટે ટેક્સપેયરે દર વર્ષે આવકવેરા રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવું જરૂરી છે. ITR કરદાતાઓની વાર્ષિક આવકની વિગતો ધરાવે છે કરદાતાઓએ આવક પર ટેક્સ જમા કરાવવો જરૂરી છે. જો કે આવકવેરા અધિનિયમ 1961 ની કલમો હેઠળ સરકાર પણ કરમાં મુક્તિ આપે છે. અને આ વિશે કરદાતાએ જાણવું ખૂબ જરૂરી છે. નવા વર્ષમાં ટેક્સ કેવી રીતે બચાવવો તે માટે અમે તમને અમુક રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ટેક્સ સેવિંગ સ્કીમમાં કરો રોકાણ
આવકવેરાની કલમ 80C હેઠળ રોકાણ કરેલ રકમમાં સરકાર ટેક્સ ડિડક્શનની મંજૂરી આપે છે. આવી યોજનાઓમાં રોકાણ કરીને મહત્તમ રૂપિયા 1.5 લાખ સુધી પર ટેક્સ ડિડક્શનનો દાવો કરી શકાય છે. કેલેન્ડર વર્ષ 2022માં આ યોજનાઓમાં રોકાણ કરવા પર રોકાણકારોને તેનો લાભ મળી શકે છે. આવી યોજના નવા વર્ષમાં પૈસા બચાવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
ઇન્કમ ટેક્સના નિયમો અનુસાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કર્મચારી ભવિષ્ય નિધિ (EPF), ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS), નેશનલ પેન્શન સિસ્ટમ (NPS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) અને 5 અથવા વધુ મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) યોજનાઓ પર પણ ટેક્સ ડિડક્શનનો લાભ મળે છે. ટેક્સ એક્સપર્ટ અનુસાર આ સ્કીમ્સમાં તમારી બચતનું રોકાણ કરીને, તમે લાગુ પડતી શરત મુજબ ટેક્સ છૂટનો દાવો કરી શકો છો.
સૌથી શ્રેષ્ઠ ટેક્સ રિજિમ
દેશમાં હાલ બે પ્રકારની કર વ્યવસ્થા ઉપલબ્ધ છે - જૂની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થા. વ્યક્તિ તેની સગવડતા મુજબ ટેક્સ સિસ્ટમ પસંદ કરી શકે છે. એટલા માટે તમે એ બેમાંથી તે વિકલ્પ પસંદ કરો જે તમને વધુ કર બચત આપશે. નવા ટેક્સ સિસ્ટમમાં ટેક્સનો દર ઓછો છે પણ તેમાં કરદાતાઓને કપાતનો લાભ મળતો નથી. એ સામે જૂની કર વ્યવસ્થામાં કરનો દર ઊંચો છે અને તેમાં કરદાતાઓને આવકવેરાની કલમ 80C હેઠળ કર કપાતનો લાભ મળે છે.
હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં રોકાણ કરો
નવા વર્ષમાં ટેક્સ સેવિંગ માટે કોઈ પણ વ્યક્તિ પોત માટે અને અને તેમના પરિવાર માટે સ્વાસ્થ્ય વીમા યોજના ખરીદી શકે છે. આમ કરવાથી કલમ 80D હેઠળ વીમા યોજના માટે પ્રીમિયમ ચૂકવવા માટે રૂ. 25,000 હજાર સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે. આ સાથે જ વરિષ્ઠ નાગરિકો આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ 50,000 સુધીની કર મુક્તિનો દાવો કરી શકે છે. જો તમે તમારા માતા-પિતા માટે સ્વાસ્થ્ય વીમો ખરીદો છો તો તમે 50,000 રૂપિયાનો વધારાનો ટેક્સ બચાવી શકો છો.
હોમ લોન પર ટેક્સ મુક્તિ
બેંક અથવા નોન-બેંકિંગ નાણાકીય સંસ્થા પાસેથી હોમ લોન લેવા પર નિયમો હેઠળ લોનના વ્યાજ અને લોનની રકમ પર કર કપાતનો દાવો કરવા પાત્ર છો. આવકવેરાની કલમ 24 હેઠળ, હોમ લોનના વ્યાજ પર મહત્તમ 2 લાખ રૂપિયાની કર કપાત ઉપલબ્ધ છે અને કલમ 80C હેઠળ, હોમ લોનની રકમ પર મહત્તમ 1.5 લાખ રૂપિયાનું ટેક્સ ડિડક્શન મળી રહે છે.
સમયસર ITR ફાઈલ કરો
દર વર્ષે કોઈ વ્યક્તિ અથવા કંપનીએ 31મી જુલાઈ અથવા આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારિત તારીખ પહેલાં ITR ફાઈલ કરવાની હોય છે. તેને દાખલ કરવામાં મોડું થાય તો શરતોની સાથે દંડ પણ ચૂકવવો પડે છે.