નોકરી દરેક માણસની પહેલી જરૂરીયાત છે. અઢળક પ્રયત્નો પછી પણ જો નોકરી ન મળે તો સ્વાભાવિક રૂપે આપણે કિસ્મતને દોષ આપીએ છીએ. જો તમને પણ નોકરી નથી મળી રહી તો ગભરાસો નહીં. આજે અમે તમને જણાવશું જ્યોતિષ શાસ્ત્રના કેટલાક ઉપાયો જેનાથી તમને તરત નોકરી મળી જશે.
શનિદેવની આરાધના: નોકરીની સમસ્યાથી બહાર આવા માટે દરેક શનિવારે શનિદેવના મંદિરે જઈ શનિદેવને સરસોનું તેલ અર્પણ કરો. આ ઉપરાંત 'ॐ शं शनैश्चराय नम:' મંત્રનો 43 વખત જાપ કરો.
સાત પ્રકારના અનાજ: વિવિધ સાત પ્રકારના અનાજ ભેળવીને પોતાના ઉપર સાત વખત ઉતારો ત્યારબાદ તે અનાજના ચણ રોજ સવારે થોડા-થોડા પક્ષીઓને નાખો જેથી તમને નોકરી મળવામાં સહાયતા થશે.
હનુમાનજીનો ફોટો: તમારા પૂજાના સ્થાન પર ઉડતા હનુમાનજીનો ફોટો લગાવો અને તેમની આરાધના કરો. જેથી તમારા નોકરીનાદરેક પ્રશ્નોનું નિવારણ ભગવાન હનુમાનજી લાવશે. આ ઉપરાંત ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે હનુમાન ચાલીસના જાપ કરો.
પીપળાના થડમાં દૂધ: પીપળાના થડમાં દૂધ ચડાવો જેથી તમારા તમામ પિતૃદેવ તમારા પર પ્રશન્ન રહે.
કુવામાં દૂધ: કોઈપણ પાણી વાળા કુવામાં થોડું દૂધ રેડો અને આ વાત કોઈને પણ ન કરો નોકરી મેળવવાનો આ સૌથી બેસ્ટ ઉપાય છે.
શિવલિંગ પર દૂધ: શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી નોકરીના પ્રશ્નો હલ થઇ જાય છે. આ ઉપરાંત થોડા ચોખા અને મીઠું પણ અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસો થાય છે.