વોડાફોન આઇડિયા આ વર્ષે એટલે કે 2021-22માં પોતાની સર્વિસમાં ફેરફાર કરવાના છે જેના કારણે તે પોતાની 3G સર્વિસ બંધ કરી દેશે.
વોડાફોન આઇડિયા આ સર્વિસ કરશે બંધ
25000 કરોડનું ફંડ કરશે એકઠુ
2જી સર્વિસ નહી કરે બંધ
વોડાફોન આઇડિયા કંપની આ વર્ષે તેની સર્વિસમાં કેટલાક બદલાવ કરવા જઇ રહી છે. 3જી સર્વિસ બંધ થઇ જશે પરંતુ 2જી સર્વિસ હજૂ પણ ચાલતી રહેશે. કંપનીએ આ વાત સોમવારે કરી હતી.
કંપનીના વરિષ્ઠ પંબંધને કહ્યું કે 25000 કરોડ રૂપિયા ફંડ એકઠુ કરવાની યોજનાને પણ જલ્દી જ પૂર્ણ કરી દેવામાં આવશે. કેટલાક ઇન્વેસ્ટર્સે આ વાતમાં રુચિ બતાવી છે. કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફીસર અક્ષય મુંદરાએ કહ્યું કે, હવે દેશમાં 3જીની કોઇ જ જરૂર નથી. આ સર્વિસને અત્યાર સુધી એટલે ચાલુ રાખવામાં આવી હતી કારણકે કેટલાક લોકોની ડિવાઇઝમાં માત્ર 3જી જ સપોર્ટ કરતુ હતુ. કંપની પાસે હાલ પણ 1.1 કરોડ 3જી ગ્રાહક છે. 2022માં 3જીને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની કામગીરી થઇ જશે તેવી આશા છે.
Viના 2જી ગ્રાહકોની સંખ્યા 14.9 કરોડ
કંપનીના MD રવિન્દ્ર ટક્કરે કહ્યું કે કંપનીના 26.8 કરોડ ગ્રાહકોમાંથી 14.9 કરોડ ગ્રાહક હજુ પણ 2જીનો જ ઉપયોગ કરી રહ્યાં છે. માટે અમે ઘણો લાંબો સમય 2જીની સર્વિસ આપતા રહીશું. રિલાયન્સ જીઓ માત્ર 4જી નેટવર્કનું જ સંચાલન કરે છે અને તે સરકારને માત્ર અત્યાધુનિક ટેકનીક માટે જ નીતિ બનાવવાની સલાહ આપી રહી છે પરંતુ એરટેલ અને વોડાફોન આઇડીયા પાસે હજુ પણ 3જી ટેકનીક છે અને એરટેલના 30.8 કરોડ ગ્રાહકમાંથી 13.3 કરોડ ગ્રાહક 2જી ગ્રાહક છે.
કંપનીના શેર 3.7 ટકા ઘટ્યા
ટક્કરે ફંડ રેજીંગમાં સંભાવિત રાહના ભ્રમન દુર કરતાં કહ્યું કે, ફંડ એકઠુ કરવાની યોજનામાં ઘણા પક્ષ અમારો સાથ આપી રહ્યાં છે. ટેલિકોમ કંપનીમાં ઇનવેસ્ટ કરવા પ્રત્યે લોકોને રુચિ થઇ રહી છે. કંપનીના શેર સોમનારે ઘટીને 12.08 રૂપિયા પર બંધ થયા હતા.