બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લગ્નમાં આવી રહી છે અડચણ? તો વિવાહ પંચમીના દિવસે કરો આ કાર્ય, મળશે લાભદાયક ફળ

માન્યતા / લગ્નમાં આવી રહી છે અડચણ? તો વિવાહ પંચમીના દિવસે કરો આ કાર્ય, મળશે લાભદાયક ફળ

Last Updated: 01:30 PM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે વિવાહ પંચમી 6 ડિસેમ્બરના રોજ આવવવાની છે. વિવાહ પંચમીના દિવસે કેળની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે.

હિન્દુ ધર્મમાં વિવાહ પંચમીની તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે વિવાહ પંચમી 6 ડિસેમ્બરે આવવાની છે. આ તિથિ માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે સીતા માતા અને ભગવાન રામના લગ્ન થયા હતા. વિવાહ પંચમીના દિવસે કેળની પૂજા કરવામાં આવે છે.

  • કેળથી આવે છે સુખ સમૃદ્ધિ

સનાતન ધર્મની માન્યતા અનુસાર, કેળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વૃક્ષ ભગવાન વિષ્ણુ, લક્ષ્મી માતા અને ગુરુ દેવ બૃહસ્પતિ સાથે સંબંધિત છે. ભગવાન વિષ્ણુને કેળ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં ઘરના આંગણામાં અથવા તમારા બગીચામાં કેળનું વાવેતર કરવાથી શુભ ફળ મળે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

PROMOTIONAL 4
  • લગ્ન અને સંતાન પ્રાપ્તિની સમસ્યામાં મળે છે રાહત

વિવાહ પંચમીના દિવસે કેળનું વિશેષ મહત્વ જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ ગુરુ ગ્રહ સંબંધિત દોષથી ઘેરાયેલો હોય તો તે તુરંત જ દૂર થઈ જાય છે. બૃહસ્પતિને લગ્ન, સંતાન અને ધર્મ જેવા વિષયોમાં જાણકાર માનવામાં આવે છે. આથી જે લોકોને લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ રહ્યો હોય અને આ દિવસે કેળની પૂજા કરવામાં આવે તો રાહત મળી શકે છે.

  • આ દિવસે દિકરીના કરતા નથી લગ્ન

વિવાહ પંચમીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ તિથિએ પોતાની દીકરીના લગ્ન નથી કરતા. આનું કારણ સીતા માતા અને ભગવાન રામનું લગ્ન જીવન સંઘર્ષમય હતું તે માનવામાં આવે છે. જેથી ઘણા માતા-પિતા આ તિથિએ તેમની દીકરીઓના લગ્ન નથી કરાવતા.

વધુ વાંચો : મેશ્વો નદીના કિનારે દીવામાંથી સ્વયંભૂ પ્રગટ થયા મા વહાણવટી, ભક્તોની પૂર્ણ કરે છે તમામ મનોકામના

બીજી માન્યતા એવી છે કે, આ દિવસે વિવાહ પંચમીના દિવસે જે પણ માતા-પિતા તેમની પુત્રીના લગ્ન કરે છે, તેમના પર માતા સીતા માતા અને ભગવાન રામની વિશેષ કૃપા વરસે છે. એવી માન્યતા છે કે, જો કોઈને લગ્નજીવનમાં મુશ્કેલી આવી રહી હોય તો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Marriage Vivah Panchami
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ