દિવાળીની તૈયારીઓે ચાલી રહી છે. ત્યારે અનેક જગ્યાએ દૂધનાં માવામાં તથા મિઠાઈમાં ભેળસેળની ફરિયાદો ઉઠી છે. ત્યારે દર તહેવારે જાગતું તંત્ર ફરી એકવાર જાગ્યું છે. જેણે શહેરમાં અનેક જગ્યાએથી મીઠાઈના સેમ્પલ લીધા છે. અમદાવાદની જાણીતી દુકાનો માંથી મીઠાઈ અને માવાના સેમ્પલ લેવાયાં છે.....
અમદાવાદ મ્યુનિ.નાં આરોગ્ય વિભાગે મીઠાઈનાં સેમ્પલ લીધા
સેમ્પલનો રિપોર્ટ દિવાળી પછી આવે તેવી શક્યતાં
28 જગ્યાએથી લેવામાં આવ્યાં મિઠાઈનાં સેમ્પલ
28 જગ્યાએથી લેવાયા સેમ્પલ
તહેવારો આવતાની સાથે જ આરોગ્ય વિભાગ કામગીરી કરતું હોય છે. ત્યારે અમદાવાદમાં પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરમાં આવેલી મીઠાઈ બનાવતી સ્વીટ માર્ટ્, દુકાનો અને ફેક્ટરીઓમાંથી ફરસાણ, માવા તથાં મિઠાઈનાં 28 જગ્યાએથી સેમ્પલ લીધા છે.
શું દિવાળી પછી રિપોર્ટ આવશે?
અમદાવાદ કોર્પોરેશને દિવાળીને માત્ર 5 દિવસ આડા છે ત્યારે માત્ર નામની કામગીરી કરી હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગે મીઠાઈનાં નમૂનાં તો લીધા પણ રિપોર્ટ ક્યારે આવશે? ત્યારે સવાલ એ છે કે આ નમૂનાનો રિપોર્ટ મીઠાઈ વેચાય અને ખવાઈ જાય ત્યાં સુધી આવશે ખરો? કેમ કે અમદાવાદ શહેર લેબોરેટરીમાં સંખ્યાં અને સાધનો પણ પ્રમાણમાં ઓછાં છે. આ રિપોર્ટ આવતા ઓછામાં ઓછાં 20થી 25 દિવસનો સમય લાગતો હોય છે .
છેલ્લાં 2 દિવસથી સેમ્પલ લેવાઈ રહ્યાં છે
મ્યુનિ હેલ્થ ખાતા દ્વારા કન્ફેક્શનરીની ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી છે. આરોગ્ય ખાતાએ 28 જગ્યાઓથી નમૂના લીધાં છે. રસરંજન, દૂધિયા, ગ્વાલિયા સ્વિટસમાંથી નમૂના લેવાયા છે. માવામાં ભેળસેળનાં પર્દાફાશ બાદ આ નમૂના લેવામાં આવ્યાં છે. વિવિધ નમૂનાને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. દિવાળીનાં તહેવારને લઈ છેલ્લાં 2 દિવસથી તપાસ કરવામાં આવી રહી છે.