સંસદના ચોમાસું સત્રમાં ચોથા દિવસે ગુરુવારે કોરોના મહામારી પર સદનમાં ચર્ચા ચાલી રહી હતી. આ બાબતે આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન પહેલા જ પોતાનું નિવેદન આપી ચૂક્યા છે. જો કે હવે શિવસેનાએ આ બાબતે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેના સાંસદ સંજય રાઉત એ તેમના સંબોધનમાં કહ્યું હતું કે દેશમાં લોકો શું ભાભીજીના પાપડ ખાઈને કોરોનાથી ઠીક થઈ રહ્યા છે?
શિવસેના સાંસદ સંજય રાઉતે સાધ્યું ભાજપ પર નિશાન
શું લોકો ભાભીજીના પાપડ ખાઈને કોરોનાથી બચી રહ્યા છે? : સંજય રાઉત
ભાજપનો પલટવાર, શું રેંટિયો કાંતવાથી મળી છે દેશને સ્વાધીનતા?
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે જુલાઇ મહિનામાં એક વિડીયો જાહેર કર્યો હતો, જેમાં બીકાનેરમાં બનેલ ભાભીજી નામના પાપડના બ્રાન્ડનો તેમણે પ્રચાર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે આ પાપડ કોરોના વેર્સના બચાવ માટે કારગર સાબિત થશે.
શું પાપડ ખાઈને ઠીક થયા લોકો?
શિવસેના સાંસદે કહ્યું હતું કે,'' હું આ સદનમાં ઉપસ્થિત સદસ્યોને પૂછવા માંગુ છું કે કોરોનાથી દેશમાં આટલા બધ લોકો ઠીક કેવી રીતે થયા? શું લોકો ભાભીજીના પાપડ ખાઈને ઠીક થયા છે?, આ કોઈ રાજનીતિક લડાઈ નથી, પરંતુ લોકોના જીવ બચાવવાની લડાઈ આપણે લડી રહ્યા છીએ. "
I want to ask the members how did so many people recover? Kya log bhabhi ji ke papad kha karke theek ho gaye? This isn't a political fight but a fight to save the lives of people: Shiv Sena MP Sanjay Raut during a discussion on the Statement made by Health Minister on COVID19 https://t.co/hswIFDPTlc
શિવસેનાના સવાલ પર જવાબ આપતા ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદી કહ્યું હતું કે કોરોના અત્યાર સુધીની સૌથી મોટી આપત્તિ છે, ગાંધીજી અંગ્રેજોને બહાર કાઢવા માટે રેંટિયાને એક પ્રતિક બનાવ્યું હતું, તેવી જ રીતે પ્રધાનમંત્રી મોદીએ દીવાને સામાજિક ચેતનાનું પ્રતિક બનાવ્યું હતું, અમુક લોકો સવાલ પૂછી રહ્યા છેકે શું તાળી - થાળી વગાડવાથી કોરોના દૂર થઈ જશે,
તો હું તેમણે પૂછવા માંગુ છું કે શું લોકો ઇતિહાસ ભૂલી ગયા છે? શું રેંટિયાઓ કાંતવાથી દેશમાંથી અંગ્રેજો ચાલ્યા ગયા હતા? રેંટિયો એક પ્રતિક છે જેણે ગાંધીજીએ પસંદ કર્યો હતો, આવી જ રીતે તાળી - થાળી વગાડવું એક પ્રતિક છે જેના લીધે કોરોના વોરિયર્સના મનોબળને વધારવાની કોશિશ કરવામાં આવી હતી.
જવાહરલાલ નહેરુ બંદર ટ્રસ્ટનું ખાનગીકરણ ન થાય
શિવસેનાના સંજય રાઉતે શૂન્ય કાળ દરમિયાન જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) ના ખાનગીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે નોટબંધી અને કોવિડ -19 રોગચાળાને લીધે દેશની આર્થિક વ્યવસ્થા ભારે ક્ષીણ થઈ ગઈ છે. આપણી GDP અને આપણી RBI પણ તૂટી ગઈ છે.
તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે આજે રેલ્વે, LIC , એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. JNPT એક નફાકારક સાહસ છે અને સરકારને 30 ટકાથી વધુ નફો રળી આપે છે. સરકાર તેના ખાનગીકરણ પર વિચાર કરી રહી છે. તેના ખાનગીકરણનો અર્થ રાષ્ટ્રીય સંપત્તિને મોટું નુકસાન થાય છે. યુદ્ધ દરમિયાન નૌકાદળ પછી, આ બંદરે લોજિસ્ટિક્સના પરિવહનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેમણે કહ્યું, 'આ પોર્ટ ટ્રસ્ટનું ખાનગીકરણ એટલે 7000 એકર જમીન ખાનગી હાથમાં આપવી. આનાથી બેરોજગારીમાં પણ વધારો થશે કારણ કે ખાનગીકરણ થાય ત્યારે કામદારો પ્રથમ છૂટા થઈ જાય છે. તે એક મહત્વપૂર્ણ બંદર છે અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે વિશેષ છે.