મહાત્મા ગાંધી. દેશના એક કરિશ્માઈ નેતા. એવા નેતા કે જેમને રાજનીતિના રોલમોડલ પણ કહી શકાય. અહિંસા,સત્યતા અને સ્વચ્છતા જેમના શીરે શોભતા. આજે પણ તેમની મહાનતા તો જીવિત છે પરંતુ તે માત્ર વિચારોમાં જ છે. આજે વાતો તો આપણે મહાત્મા ગાંધીની કરીએ છીએ પરંતુ શું તેમના વિચાર અને આચરણને અપનાવીએ છીએ ખરા? સરકારી કચેરીઓમાં બાપુનો ફોટો તો હોય છે પરંતુ શું તેમ છતાં પણ અધિકારીઓ કે નેતાઓના હાથ લાંચ લેતા ખચકાય છે ખરા? જેમના શીરે જનતાની સેવા કરવાની જવાબદારી છે તેઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે ખરા? ત્યારે આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન