આર્ચર કેર કંપનીના 260 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી વિનય શાહને અમદાવાદ લાવવા માટે તખ્તુ ગોઠવવામાં આવી રહ્યું છે. વિનય શાહને નેપાળથી અમદાવાદ લાવવા માટે CID ક્રાઈમે વોરંટ મેળવ્યું છે.
વિનય શાહ હાલ નેપાળની જેલમાં છે. 30 લાખની નેપાળની કરન્સી અને ડોલર મળી આવવા મામલે આઈટી એક્ટ મુજબ કાર્યવાહી થતાં તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તો વિનય શાહને અમદાવાદ લાવવા માટે ગ્રામ્ય કોર્ટમાંથી CID ક્રાઈમે વોરંટ મેળવ્યું છે.
વિનય શાહ અને ભાર્ગવી શાહે આર્ચર કેર કંપનીમાં લોકોને ઊંચું વળતર આપવાની લાલચ આપી 260 કરોડનું કૌભાંડ આચર્યુ હતું અને ત્યારબાદ વિનય શાહ ફરાર થઈ ગયો હતો, જ્યારે સીઆઈડી ક્રાઈમે તપાસ કરી આર્ચર કેર કંપની અને વિનય શાહના ઘરેથી સંખ્યાબંધ દસ્તાવેજો અને બેન્કોના ખાતાઓની માહિતી મેળવી હતી.
બીજી તરફ વિનય શાહ તેની ગર્લફ્રેન્ડ સાથે નેપાળમાં ઝડપાયો હતો. તે સમયે તેની પાસેથી ૩૦ લાખ નેપાળની કરન્સી અને ડોલર મળી આવતા આઈટી એકટ હેઠળ કાર્યવાહી થતા ત્રણ વર્ષની સજા ફટકારી હતી. ભાર્ગવી શાહ અને એજન્ટોની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂકયું હતું. વિનય શાહ નેપાળની જેલમાં હોવાથી તેને અમદાવાદ લાલવા ગ્રામ્ય કોર્ટમાંથી વોરંટ મેળવ્યું છે. એજન્ટો જામીન પર મુકત થઈ ગયા છે. જ્યારે વિનય શાહ નેપાળની જેલમાં અને તેની ભાર્ગવી શાહ સાબરમતી જેલમાં છે.