આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મ પ્રાચીન ધર્મ છે. સદીઓ પહેલા બનેલા મંદિરો આજે પણ હયાત છે ત્યારે કેટલાક મંદિર ખંડિત થઇ જવા પામ્યા છે. કેટલીક વાર વર્ષો પછી જૂની વસ્તુઓ બહાર નીકળે છે એવી જ રીતે ઓડિશામાં, લગભગ 500 વર્ષ જૂનું મંદિર નદીમાંથી બહાર આવ્યું. મંદિરની છત નદીમાંથી બહાર આવવા લાગી. એવું કહેવામાં આવે છે કે આ મંદિર 15 મી કે 16 મી સદીનું છે. તેમાં ભગવાન ગોપીનાથની પ્રતિમાઓ હતી. જેમને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે.
500 વર્ષ જૂનુ છે આ મંદિર
પ્રાચીન મંદિર મળવાથી શ્રદ્ધાળુઓ ખુશ
ગોપીનાથ અવતારનુ છે આ મંદિર
ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) ના પુરાતત્ત્વવિદોની ટીમે કહ્યું કે તેઓએ આ મંદિર શોધી કાઢ્યું છે. મંદિરની છત પદ્માવતી નદીની મધ્યમાં છે, જે ઓડિસાના નયાગઢમાં બૈધેશ્વર પાસે મહાનદીની એક શાખા પાસે છે.
પુરાતત્ત્વવિદ દીપકકુમાર નાયકે જણાવ્યું હતું કે આ મંદિર લગભગ 60 ફૂટ ઉંચુ છે. નદીની ઉપરના મંદિરના વડા, તેના નિર્માણ કાર્ય અને સ્થાપત્યને જોતા લાગે છે કે તે 15 મી અથવા 16 મી સદીની છે.
આ મંદિર જે સ્થળે મળ્યુ છે તેને સતપતાના કહેવામાં આવે છે. સતપતાનામાં સાત ગામો હતા. સાત ગામ ભગવાન ગોપીનાથની પૂજા કરતા હતા. તે જ સમયે આ મંદિર બનાવવામાં આવ્યું હતું.
દીપકકુમાર નાયકે જણાવ્યું કે આશરે દોઢસો વર્ષ પહેલા નદીએ પોતાનો માર્ગ બદલી નાંખ્યો હતો અને ત્યાં એક પૂર આવ્યુ હતુ. જેના કારણે મંદિર અને તેની આસપાસનો વિસ્તાર ડૂબી ગયો હતો. આ ઘટના 19મી સદીમાં બની હતી. ગામલોકોએ ભગવાનની મૂર્તિ મંદિરમાંથી બહાર કાઢી અને એક ઉચ્ચ સ્થાન પર ગયા.
નજીકના લોકો કહે છે કે પદ્માવતી ગામની આસપાસ 22 મંદિરો હતા, જે આ નદીમાં ડૂબી ગયા છે. પરંતુ આટલા વર્ષો પછી ભગવાન ગોપીનાથ દેવના મંદિરનું શીર્ષ બહાર દેખાયું તે એક અજબ ઘટના માનવામાં આવે છે.
ઇન્ટેકના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અનિલ ધીરે કહ્યું કે અમે મહાનદીની આસપાસની તમામ ઐતિહાસિક વારસાઓના દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ. અમે આ મંદિરની આજુબાજુ પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં વધુ મંદિરો અને વારસા શોધી રહ્યા છીએ.
ગામના લોકોનું કહેવું છે કે આ મંદિરનુ મસ્તક 25 વર્ષ પહેલાં દેખાયુ હતુ. ગામના લોકોને નદીમાં ન જવાની અને મંદિર ઉપર ચડવાનો પ્રયાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.