અર્બૂદા સેનાના આગેવાનોએ અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હોવાનું સામે આવ્યું છે.
વિધાનસભા ચૂંટણીને લઈ મહત્વના સમાચાર
અર્બૂદા સેનાના આગેવાનોએ કરી અમિત શાહ સાથે મુલાકાત
CM ભુપેન્દ્ર પટેલને પણ અર્બૂદા સેનાના આગેવાનો મળ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અર્બૂદા સેનાના આગેવાનોએ કરી અમિત શાહ સાથે મુલાકાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત CM ભુપેન્દ્ર પટેલને પણ અર્બૂદા સેનાના આગેવાનો મળ્યા હોવાનું સામે આવતા ઉતર ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. જેમાં આંજણા ચૌધરી સમાજ લક્ષી કામગીરી માટે જમીન ફાળવવા કરી સહીતની અનેક રજૂઆત કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વધુમાં શિક્ષણ અને રોજગારલક્ષી કૌશલ્ય શિક્ષણ માટે પણ જમીનની માંગ કરાઇ છે. મહત્વનુ છે કે અગાઉ અર્બૂદા સેનાએ સત્તાધારી પક્ષના આગેવાનો સામે લડાઈ શરૂ કરી હતી. જેકે હજુ પણ તે નારાજ છે ત્યારે મતદાન પહેલા અર્બુદા સેનાને મનાવી લેવામાં આવે તો ઉત્તર ગુજરાતની ૩૨ સીટ પર ભાજપને ફાયદો થઇ શકે તેમ છે. ત્યારે અર્બુદા સેનાને હાથમાં લેવા માટે ભાજપે હવે નવો દાવ અજમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
વિપુલ ચૌધરીને જેલમાં ધકેલ્યા બાદ અર્બુદા સેનામાં આક્રોશ
મહત્વનું છે કે, દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મનીલોન્ડરિંગ કેસમાં જેલમાં ધકેલ્યા બાદ અર્બુદા સેનામાં આક્રોશનો જ્વાળા ભભૂકયો છે. જે આગની ચીંગારી ચુંટણી ટાણે મોટા ભડકામાં પરિવર્તન થાય તેવી શક્યતા છે. આ મામલે અર્બુદા સેનાએ અગાઉ કહ્યું પણ હતું કે જો વિપુલ ચૌધરીને જેલ બહાર કાઢવામાં નહિ આવે તો આગામી ચૂંટણીમાં સરકારને નુકસાન ભોગવવાનો વારો આવશે.આ રોષ ઠારવા મથામણ કરવામાં આવી રહી છે. ત્યારે અગાઉ અર્બુદા સેનાના સ્નેહ મિલન સમારંભમાં હાજર રહી મનાવી લેવા સાંસદ ભરત ડાભીએ પ્રધાનમંત્રીને પણ પત્ર લખ્યો હતો.
રાજકારણમાં અર્બુદા સેના ચર્ચાતો મુદ્દો
ગુજરાતના રાજકારણમાં અર્બુદા સેના મહત્વનો અને ચર્ચાતો મુદ્દો બન્યો છે. જેમાં પ્રથમ ભાજપ સાથે ગઠબંધની વાતો ચાલી હતી. ત્યારબાદ મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે, આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે. જેમાં અર્બુદા સેના પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરશે.પરતું ત્યારબાદ આ અંગે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. ત્યારબાદ એવી ચર્ચા જાગી હતી કે, અર્બુદા સેના દ્વારા હવે હાલ કોઇપણ રાજકીય નિર્ણય નહીં લેવામાં આવે અને વિપુલ ચૌધરી સહિતના અગ્રણીઓ ચૂંટણી નહીં લડે તે નક્કી કર્યું છે.