ડોક્ટરને કમિશન આપવાના મુદ્દે કોંગ્રેસના નેતાઓ વિરોધ નોધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓ જણાવ્યું છે કે, ડોકટરોને કમિશન આપવાનો નિર્ણય મેડીકલ એથીક્સની વિરુદ્ધ છે
અમદાવાદની SVP હોસ્પિટલનો મનસ્વી નિર્ણય
તબીબ દર્દીને SVPમાં રિફર કરશે તો કમિશન મળશે
મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય
અમદાવાદની SVP હોસ્પિટલનો મનસ્વી નિર્ણય સામે આવ્યો છે.
અમદાવાદની SVP હોસ્પિટલનો મનસ્વી નિર્ણય સામે આવ્યો છે. તાજેતરમાં મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં સારવાર લેવામાં આવતાં દર્દીઓને કન્સલ્ટિંગ ડોક્ટર SVPમાં રિફર કરશે તો તેમને કમિશન અપવામાં આવશે, તેમજ ડોકટરોને ખાનગી હોસ્પિટલની જેમ ચોક્કસ ફી ચુકવવાનો નિર્ણય લેવાયો છે.
SVPમાં કેટલાક તબીબો મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં સેવા આપતા હોય છે
ઉલ્લેખનીય છે કે, SVP હોસ્પિટલમાં કેટલાક સિનિયર તબીબો મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં કન્સલ્ટિંગ તરીકે સેવા આપતા હોય છે. તબીબો દર્દીને SVPમાં રિફર કરી સારવાર કરી શકે છે. તેના માટે એક વિશેષ એક્ઝિક્યુટિવ વોર્ડની પણ ઉભો કરવામાં આવી શકે છે.
SVP હોસ્પિટલના નિર્ણયને લઈનો કોંગ્રેસનો વિરોધ
ડોક્ટરને કમિશન આપવાના મુદ્દે કોંગ્રેસનો વિરોધ નોધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા જણાવ્યું છે કે, ડોકટરોને કમિશન આપવાનો નિર્ણય મેડીકલ એથીક્સની વિરુદ્ધ છે. બીજી તરફ ડોકટરોને કમીશન આપવાથી દર્દીઓની સારવાર મોંઘી બનશે આ સાથે SVP હોસ્પીટલને ખાનગી ધોરણે ચલાવતી હોવાનો કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કર્યો છે