ઘાટલોડિયાની ત્રિપદા ઈંગ્લીશ સ્કૂલ દ્વારા વાલીઓને પત્ર લખવામાં આવ્યો છે. CBSE પ્રવેશ ન લેવો હોય તો LC લઇ જવા સૂચના આપી છે.
ત્રિપદા ઈંગ્લીશ સ્કૂલની દાદાગીરી
અચાનક ગુજરાત બોર્ડ બંધ કરાયું
પ્રવેશ ન લેવો હોય તો લીવીંગ સર્ટી લઇ જવા સૂચના
અમદાવાદમાં શાળાઓની દાદાગીરી જોવા મળી રહી છે. ફી મામલે પણ રાજ્યભરમાં અનેક શાળાઓની મનમાની જોવા મળી હતી. ત્યારે ઘાટલોડિયાની ત્રિપદા ઈંગ્લીશ સ્કૂલ દ્વારા વાલીઓને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં વાલીઓને કહેવામાં આવ્યું છે કે, CBSE પ્રવેશ ન લેવો હોય તો LC લઇ જવા સૂચના આપી છે. ઘાટલોડિયાની ત્રિપદા ઈંગ્લીશ સ્કૂલ દ્વારા અચાનક ગુજરાત બોર્ડ બંધ કરાયું છે.
શાળામાંથી ગુજરાતી બોર્ડ બંધ CBSEમાં ફરજિયાત એડમિશન!
અમદાવાદની ત્રિપદા શાળા વાલીઓને દબાણ કરતી હોય તેવી રીતે, પહેલા ગુજરાત બોર્ડ બંધ કરી દેવાયું અને પછી CBSEમાં જો વિદ્યાર્થી એડમિશન લેશે નહીં તો, LC લઈ જવાના પત્ર લખવામાં આવી રહ્યા છે. ગુજરાત બોર્ડ બંધ કરવા સામે વાલીઓનો વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત બોર્ડ ચાલુ રાખવા વાલીઓની માગ કરી છે. CBSE બોર્ડની ફીમાં પણ શાળાએ વધારો કર્યો છે.