શામળાજી: અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે રાજ્યની પ્રથમ નંબરની આરટીઓ ચેકપોસ્ટ આવેલી છે. આ ચેકપોસ્ટ ઉપર આરટીઓ અધિકારીઓ અને મળતિયાઓની મિલીભગત દ્વારા વાહનો પસાર કરાવવામાં ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. જેના કારણે સરકારને વર્ષે દહાડે લાખ્ખો રૂપિયાની ખોટ સહન કરવી પડે છે.
ચેક પોસ્ટ ઉપર થતો ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે અત્યાધુનિક દેશની પ્રથમ કોમ્પ્યુટરાઇઝડ ચેકપોસ્ટ બનાવાઈ છે. પરંતુ તેમ છતાં આવક વધવાને બદલે આળકમાં ઘટાડો જ થતો રહ્યો છે. ચૅકપોસ્ટ આધુનિક બની તે પહેલાં 2016-17ના ફેબ્રુઆરીમાં આવક 49.33 કરોડ નોંધાઈ હતી.
જ્યારે આધુનિક બન્યા બાદ આવકમાં વધારો થવાને બદલે ફેબ્રુઆરીમાં 47.42 કરોડની આવક થઈ છે. જે 3.86 ટકાનો ઘટાડો દર્શાવે છે. આપને જણાવી દઇએ કે હાલ આ ચેકપોસ્ટ ઉપરથી રોજના 8 હજાર એટલેકે મહિના દરમિયાન 2.40 લાખ લોડિંગ વાહનો અવર જવર કરે છે.