અરવલ્લી જિલ્લાના મેઘરજમાં હાલ શૌચાલયને લઈને વિવાદ ચાલી રહ્યો છે. શૌચાલય બનાવવા એ સારી વાત છે પરંતુ જ્યારે તેને લીધો લોકોની લાગણીઓ દુભાય તે બરોબર નથી. સખી મંડળને શૌચાલય બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતુ પરંતુ આ શૌચાયલ લોકોની લાગણીને દુભાવવાનું કારણ બન્યા હતા. આવું જાણી જોઈને કરવામાં આવી રહ્યુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હિન્દુઓને ટાર્ગેટ કરવા માટે આ કામ કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
અમન સખી મંડળ દ્વારા શૌચાલયમાં હિન્દૂ ધર્મના પ્રતીકો લગાવાયા
ૐ અને આરતીના ચિત્રવાળી ટાઇલ્સ શૈચાલયમાં લગાવાઈ
ગ્રામ પંચાયત દ્વારા સખી મંડળોને શૌચાલયનું અપાયું છે કામ
અરવલ્લી મેઘરજમાં એક એવી ઘટના સામે આવી છે.. જેના પર સવાલ થવા સ્વાભાવિક છે. અહીં સખી મંડળ દ્રારા બનાવેલા શૌચાલયમાં ઓમકાર અને આરતીના પ્રતીક વાળી ટાઇલ્સ લગાવવામાં આવી છે. આ રીતે અહીં હિન્દુ ધર્મના પ્રતીકવાળી ટાઇલ્સ લગાવીને અહીં હિન્દુ ધર્મનું હળહળ અપમાન કરવામાં આવી રહ્યું છે.
હિન્દુ ધર્મના પ્રતીકવાળી ટાઇલ્સ પસંદ કરનાની વિવેકબુદ્ધિ અને તેના ઇરાદા પર સવાલ અને શંકા
નોંધનિય છે કે ગ્રામપંચાયતે શૌચાલયનું કામ સખી મંડળને સોંપ્યું હતું પરંતુ શૌચાલટમાં હિન્દુ ધર્મનું અપમાન કરતી ટાઇલ્સ લગાવવાથી વિરોધ ઉભો થયો છે. જો કે વિરોધ બાદ ટાઇલ્સને તરત હટાવી દેવાઇ છે પરંતુ શૌચાલય માટે હિન્દુ ધર્મના પ્રતીકવાળી ટાઇલ્સ પસંદ કરનાની વિવેકબુદ્ધિ અને તેના ઇરાદા પર સવાલ અને શંકા થવી અહીં સ્વાભાવિક છે.
સળગતા સવાલ
શૌચાલયમાં હિન્દુધર્મના ચિન્હ કેમ મૂકાયા?
શૌચાલય માટે ઓમકારવાળી ટાઇલ્સ કેમ પસંદ કરાઈ?
શું આ હિન્દુ ઘર્મનું અપમાન નથી?
શું મંદિર માટે પસંદ કરેલી ટાઇલ્સ શૌચાલયમાં ભૂલથી લગાવાઇ?