દલિતો પર અત્યાચારના મામલે હવે ભાજપ ધારાસભ્ય હિતુ કનોડિયા સામે આવ્યા છે. ધારાસભ્ય હિતુ કનોડિયાએ એ વાતનો સ્વીકાર કર્યો કે રાજ્યમાં હજુ પણ જાતિગત અસામાનતા જોવા મળી રહી છે.
રાજ્યમાં દલિતો પર અત્યાચાર અને જાતીવાદને લઇ હિતુ કનોડિયાએ કહ્યું કે, રાજ્ય સરકાર પુરતી કોશિશ કરી રહી છે. ત્યારે આ સમયે સાધુ-સંતોએ પણ આગળ આવી અને અસમાનતાને દૂર કરવાની જરૂરી છે.
મહત્વનું છે કે દલિત પરિવારમાં યુવકના લગ્ન હતા ત્યારે નીકળેલા વરઘોડાનો અન્ય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વરઘોડોનો રસ્તો રોકવામાં આવ્યો હતો અને બાદમાં આ મામલે ભારે હોબાળો થયા બાદ હેમખેમ લગ્ન પાર પડ્યા હતા.