અરવલ્લીના ખંભીસરમાં દલિત પરિવારના યુવકના લગ્ન દરમિયાન વરઘોડો નહીં કાઢવા દીધા બાદ મામલો વકર્યો હતો. ત્યારે દલિત સમાજ પર થતા વારંવાર અન્યાય અને અત્યાચારના પગલે કોંગ્રેસ રાજ્યપાલને આવેદનપત્ર આપશે.
કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો અને નેતાઓ રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપીને સત્તાધારી પક્ષ સામે વિરોધ નોંધાવશે. તો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આજે ખંભીસરની મુલાકાતે છે. જીગ્નેશ મેવાણી ખંભીસરમાં જઈને પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે.
તમને જણાવી દઇએ કે, દલિત પરિવારમાં યુવકના લગ્ન હતા ત્યારે નીકળેલા વરઘોડાનો અન્ય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વરઘોડોનો રસ્તો રોકવામાં આવ્યો હતો અને બાદમાં આ મામલે ભારે હોબાળો થયા બાદ હેમખેમ લગ્ન પાર પડ્યા હતા.