અરવલ્લીના બાયડના આંટીયાદેવ ગામે પશુપાલકો દ્વારા વિરોધ કરવામા આવ્યો. સાબરડેરીનો 6.50 ટકા ભાવફેર મંજૂર ન થતા પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો. જેના પગલે ગામમાં ચેરમેન જેઠાભાઈ પેટલની નનામી કાઢવામાં આવી હતી. આ સિવાય ગ્રામજનોએ છાજીયા લઈ અને દૂધ વહાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો.
પશુપાલકોની માગ છે કે 9થી 10 ટકા જેટલો ભાવફેર કરવામાં આવે. જો યોગ્ય ભાવ વધારો કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આમ યોગ્ય ભાવફેર માટે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે. આંટીયાદેવ ગામે પશુપાલકો દ્વારા સાબરડેરીનો 6.50 ટકા ભાવફેર મંજૂર ન થતા વિરોધ નોંધાવ્યો છે.જેના પગલે મોટી સંખ્યામાં પશુપાલકોએ ચેરમેન જેઠાભાઈ પટેલની નનામી કાઢી હતી.
આ ઉપરાંત ગ્રામજનોએ છાજીયા લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પશુ પાલકોએ રસ્તા પર દૂધ વહાવીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આમ પશુપાલકોએ માંગ કરી છે કે 9 થી 10 ટકા જેટલો ભાવફેર કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.