શામળાજી: તસ્કરો મકાનો દુકાનોમાં તો ચોરી કરતા હોય છે. પરંતુ તસ્કરો હવે મંદિર પણ છોડતા નથી. અરવલ્લીના શામળાજી વિશ્વકર્મા મંદિરમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ચોરી કરવા આવેલ તસ્કરો CCTVમાં કેદ થયા હતા. જયાં CCTVમાં સ્પષ્ટ દેખાઈ છે કે મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો ચોરીનો પ્રયાસ કરે છે.
જો કે તસ્કરોનો આ પ્રયાસ સફળ રહ્યો નહોતો અને મંદિરનો દરવાજો તસ્કરોથી તૂટતો નહોતો. પછી તસ્કરો મંદિરમાં આમતેમ આંટા મારા છે. ત્યારબાદ ચોકીદાર તથા અન્ય લોકો જાગી જતાં તસ્કરો પલાયન થઇ ગયા હતા.
મહત્વપૂર્ણ છે કે બુધવારે રાત્રિ દરમિયાન તસ્કરોએ મંદિરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરીના ઘટના બનતા ગામના લોકોએ નાઈટ પેટ્રોલિંગની માગ કરી હતી. જોકે સમગ્ર બનાવને પગલે પોલીસે તસ્કરોને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાતના એક મંદિરમાં તસ્કરો દ્વારા હાથફેરો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે મંદિરના પુજારીએ હોહાકાર મચાવતી તેઓ ભાગી છૂટ્યા હતા. આપને જણાવી દઇએ કે રાજ્મયમાં ચોરીના બનાવોમાં દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.