અરવલ્લીમાં ભિલોડા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ગુજરાત ઠાકોર સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મ મામલે બંધ પળવામાં આવશે. તમામ સમાજના લોકોને બજારો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. પીડિત બાળકીને ન્યાય માટે ભિલોડા બંધનું એલાન આપવામાં આવ્યુ છે.
હિંમતનગરના ભાવપુર અને ઢુંઢરમાં દુષ્કર્મ કેસ મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે પીડિતાને ન્યાય અપાવવા મામલે ઠાકોર સેના મેદાને ઓવી છે. દઇકાલે ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસના નેતાઓ દુકાન બંધ કરાવવા માટે નિકળ્યા હતા. તો આજે ભિલોડા બંધનું એલાન આપવામાં આવ્યુ છે.
આ દુષ્કર્મની ઘટના ભાવપુર ગામની અનુપમ સિરામિક કંપનીમાં બની હતી. આ ઘટનાને લઇને લોકોના ટોળેટોળા કંપનીએ પહોંચ્યા હતા. આ ઘટનાના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગ્રામલોકોએ કંપનીની ગાડીઓ અને સામાનને તોડફોટ અને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં માલિક અને કેટલોક સ્ટાફ જીવ બચાવવા ફરાર થઇ ગયા હતા. જ્યારે આરોપી કામદારની ગાંભોઇ પોલીસે ધરપકડ કરી લીધી હતી.