અરવલ્લીમાં કોરોના ઇન્જેક્શન મુદ્દે વિવાદીત ઓડિયો વાયરલ થયો છે. બાયડની વાત્રક હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યો છે. હિંમતનગર સિવિલના RMOએ કર્યા ગંભીર આક્ષેપ કર્યા છે.
અરવલ્લી કોરોના ઇન્જેક્શન મુદ્દે વિવાદીત ઓડિયો
વાત્રક હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો
ઈન્જેક્શન વેચી દેવાયાનો ઓડિયોમાં આક્ષેપ
અરવલ્લીમાં કોરના ઈન્જેક્શનનું કૌભાંડ સામે આવ્યું છે. બારોબાર ઈન્જેક્શન વેચી મરાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આ અંગેનો ઓડિયો પણ વાયરલ થયો છે.
હોસ્પિટલ બહાર ઈન્જેક્શન વેચી દેવાયાનો ઓડિયોમાં આક્ષેપ થઈ રહ્યા છે. ઓળખીતાને ઇન્જેક્શન આપી દેવાયાનો ગંભીર આક્ષેપ છે. ઈન્જેક્શનનો જથ્થો મોડાસા-બાયડ કોવિડ સેન્ટરમાં સરખો અપાય છે. બાયડની વાત્રક હોસ્પિટલમાં ઇન્જેક્શન ખૂટવાની ફરિયાદો થઈ રહી છે. કોરોના દર્દીઓ મોડાસામાં વધુ છતાં જથ્થો ખૂટતો નથી. દર્દીના પરિવારજને ઓડિયો વાયરલ કર્યો હતો.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
24 કલાક દરમિયાન કોરોનાના 985 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,38,205 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 93.58 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 54,843 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 92,17,823 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં આજે 1309 સાજા થયાં
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 1309 સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,22,911 દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-19થી 6 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4254 થઇ ગઇ છે. તો હાલ 10,977 એક્ટિવ કેસ છે. જેમાંથી 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
અમદાવાદમાં સૌથી વધુ મોતનો સિલસિલો યથાવત્
રાજ્યમાં આજે અમદાવાદમાં 4, સુરતમાં 2 એમ કુલ 6 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 195-ગ્રામ્યમાં 7 કેસ, સુરત શહેરમાં 123-ગ્રામ્યમાં 34 કેસ, વડોદરા શહેરમાં 96-ગ્રામ્યમાં 32 કેસ, રાજકોટ શહેરમાં 97-ગ્રામ્યમાં 29 કેસ અને ખેડામાં આજે 33 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે જિલ્લાવાર નોંધાયેલા કોરોનાના કેસની વિગત