અરવલ્લીમાં પાંચ ઈંચ વરસાદ પડતાં એક પુલ તુટી પડયો. ભિલોડામાં બુઢેલી નદી પરનો પુલ તૂટી પડયો હતો. ટાકાટૂકાથી શીલાસણ ગામ વચ્ચે આવેલો પુલ ધરાશયી થયો હતો. 1 વર્ષ પહેલા બનેલો પુલ તુટી પડતાં લોકોએ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. તંત્ર દ્વારા એક કરોડના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલ તૂટતા 15થી વધારે ગામના લોકોને વાહનવ્યવહાર પર અસર પડી છે. માત્ર એક વર્ષમાં પુલ તુટી પડતાં તંત્ર અને કોન્ટ્રક્ટર પર અનેક સવાલો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા અતિશય વરસાદના કારણે ભિલોડાની બુઢેલી નદી પર આવેલો પુલ તુટી પડ્યો હતો. જો કે આ પુલ ગત વર્ષે જ એક કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી. આપને જણાવી દઇએ કે પ્રથમ વરસાદમાં જ પુલ તુટવાના કારણે લગભગ 10થી વધારે ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા.
આપને જણાવી દઇએ કે એક વર્ષ પહેલા જ બનેલા આ પુલ અચાનક તુટી પડતા વહીવટી તંત્રની નબળી કામગીરીની પોલ ખુલવા પામી હતી. આ સાથે આજરોજ ભાવનગર નજીક રહેલા નારી ગામ નજીક રહેલો પુલ પણ તૂટી પડતા ભારે હાલાકી સર્જાઇ હતી.