બિહારના અરરિયાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પલાસી પોલીસ સ્ટેશનના કબૈયા ગામમાં ઘાસનું ભૂંસુ ભરેલા ઘરમાં આગ લાગતા 6 બાળકો બળીને ભડથું થઇ ગયા હતા.
બિહારમાં મોટી હોનારત
ભૂંસા ભરેલા ઘરમાં અચાનક લાગી આગ
6 બાળકો જીવતા ભૂંજાયા
પ્રાપ્ત થતાં અહેવાલો પ્રમાણે, ઘાસનું ભૂંસુ ભરેલા એક મકાનમાં એકાએક આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. જો કે, આગની આ ઘટનામાં 6 બાળકોના કમકમાટીભર્યા મોત થયાં છે. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી છે અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
ભૂસા ઘરમાં આગની ઘટના
ઉલ્લેખનીય છે કે, ભૂંસા ભરેલા ઘરમાં આગ લાગ્યા બાદ બાળકોને બચાવવા માટે આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા પરંતુ બાળકોને બચાવી શકાયા નહોતા. જો કે, ભૂંસા ઘરમાં આગ કેવી રીતે લાગી તે અંગે કોઇ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થઇ શકી નહોંતી.
પરિવારજનો પર તૂટી પડ્યું આભ
જો કે, આ મામલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોના શબને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટેની વ્યવસ્થા હાથ ધરી છે અને વધુ કાર્યવાહી પણ શરૂ કરી છે.આ તરફ એક સાથે 6 બાળકોના મોત થતાં પરિવાજનો પર આભ તૂટી પડ્યું હોય તેવા હાલ થયાં છે.
કિશનગંજમાં 15 દિવસ પહેલા આવો જ અકસ્માત થયો હતો.
15 માર્ચે બિહારના કિશનગંજમાં ઘરની આગમાં પરિવારના વડા અને તેના ચાર બાળકોનાં મોત નીપજ્યાં હતાં. આગમાંથી ગેસ સિલિન્ડર ફાટતા મૃતદેહોના ચીંછરા ઉડ્યા હતા. પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.