નેહા કક્કરના રિક્રિએટ કરેલ એ ગીત 'ઓ સજના' વિશે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેટલાક સિંગર્સ ફાલ્ગુની પાઠકનું સમર્થન કર્યું છે તો ઘણા નેહાના સમર્થનમાં આવ્યા છે. આ વાત પર એઆર રહેમાનની પ્રતિક્રિયા સામે આવી છે.
હાલમાં જ નેહા ક્ક્કરે 90ના દાયકાનું સિંગર ફાલ્ગુની પાઠકનું હિટ પોપ લોકપ્રિય ગીત 'મૈંને પાયલ હૈ છનકાઈ' ને પોતાની સ્ટાઈલમાં રિક્રિએટ કર્યું છે. ગીતને એક તરફ કેટલાક લોકો પસંદ કરી રહ્યા છે તો વધુ પડતાં લોકો આ ગીતને લઈને નેહાને ટ્રોલ કરી રહ્યા છે. નેહા કક્કરના રિક્રિએટ કરેલ એ ગીત 'ઓ સજના' વિશે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ ગીતના રિમિક્સથી ફાલ્ગુની પાઠક નેહા કક્કરથી નારાજ છે અને એના આ વિવાદમાં કેટલાક સિંગર્સ ફાલ્ગુની પાઠકનું સમર્થન કર્યું છે તો ઘણા નેહાના સમર્થનમાં આવ્યા છે. આ બધા વચ્ચે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એઆર રહેમાનની આ વાતને લઈને પ્રતિક્રિયા સામે આવી છે.
શું કહ્યું એઆર રહેમાને?
મીડિયા સાથે વાતચીત કરતાં રહેમાને રિમિક્સ કલ્ચર પર વાત કરી હતી અને એ સમયે એમને નેહા કક્કરનું નામ લીધા વીના એમના પર કટાક્ષ કર્યો હતો. એમને કહ્યું હતું કે, ' જેટલું હું આ રિમિક્સ કલ્ચરને જોઉં છું, એટલું એ વિકૃત થતું જાય છે, બનાવનાર અને ગીત ગાનારનો ઇરાદો વિકૃત થતો જાય છે. લોકો કહે છે મેં આ ગીતની ફરી કલ્પના કરી છે. ફરી કલ્પના કરવાવાળા તમે કોણ છો? હું હંમેશા બીજાના કામને લઈને સાવધાન રહું છું અને તમારે પણ બીજાના કામનું સન્માન કરવું જોઈએ. ઇન્ડસ્ટ્રીના લોકોએ આ વિશે વાત કરવાની જરૂર છે.
નેહા કક્કર પર કર્યો કટાક્ષ
રહેમાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે એક મ્યુઝિશિયનને કોઈ ધૂનને મોર્ડન ટચ આપવા માટે રિમેક કે રિમિક્સ બનાવવાની અપીલ પર કેવો જવાબ આપવો જોઈએ? આના જવાબમાં રહેમાને કહ્યું હતું કે, ' અમારું તેલુગુ મ્યુઝિક લૉન્ચ હતું અને નિર્માતાએ કહ્યું કે મણિરત્નમે ફિલ્મ 'પોનીયિન સેલવાન' માટે જે ગીતો કંપોઝ કર્યા તેને ફ્રેશ ટચ આપવો જોઈએ. પહેલે થી એ ગીતો ખૂબ સારા છે પણ જો પ્રોડ્યુસર ઈચ્છે છે તો અમે તેને રિક્રીએટ કરશું. લોકો પરમીશન લે છે પણ કઇંક નવીન કરો એ જ ને એક રિમેક-રિમિક્સ કરતાં રહે છે એ મને વિચિત્ર લાગે છે. એઆર.રહેમાનના શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે તે રિમિક્સ કલ્ચરને સપોર્ટ કરતા નથી.
ફાલ્ગુની પાઠકે કહ્યું 'ગીત સાંભળી ઊલટી આવવાની બાકી હતી '
આ વિવાદ હાલ વધ્યો હોય એવું લાગી રહ્યું છે અને હાલમાં જ એક નવા ઈન્ટરવ્યુમાં ફાલ્ગુની પાઠકે કહ્યું હતું કે 'ગીતની નિર્દોષતા સંપૂર્ણપણે નાશ પામી છે. જ્યારે મેં પહેલીવાર નવું વર્ઝન સાંભળ્યું ત્યારે તે ઉલ્ટી કરવાની હતી. જૂન ગીતો નવી રીતે આવે એમાં કઈં ખોટું નથી પણ સારી રીતે આવવા જોઈએ ને. તમારે યુવા પેઢી સુધી પહોંચવું છે તો ગીતની લય બદલો પણ તેને સસ્તું ન બનાવો.. ગીતની જે મૌલિકતા છે તેને ન બદલો. મને નથી લાગતું કે મારે કંઈ કરવાની જરૂર છે, મારા ચાહકો આ ગીત સામે કાર્યવાહી કરી રહ્યા છે અને હું બસ સ્ટોરી શેર કરું છું. એ લોકો મને સપોર્ટ કરી રહ્યા છે તો હું પણ એમને સપોર્ટ કરીશ.'
નેહા એ પણ આપ્યો હતો આ રીતે જવાબ
આ ગીતને લઈને નેહા કક્કરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે અને હવે તેણે પોતાના હેટર્સને જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર નેહાએ ટ્રોલર્સને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે પોતાના ટેલેન્ટ, હાર્ડ વર્ક અને પેશનના દમ પર જ આજે બૉલીવુડની સુપરહિટ સિંગર છે. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર સશેર કરેલી આ પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે, તે બાળકોથી લઈને 80-90 વર્ષના વૃદ્ધો સુધીની ફેવરીટ સિંગર છે.