બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બધાંને આંચકો લાગ્યો છે. સુશાંતના ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ તેને ભૂલી નથી શકી રહ્યાં. ત્યારે હવે 22 જુલાઈ બપોરે 12 વાગ્યે મ્યુઝિકલ ટ્રિબ્યૂટ આપવા માટે ડિઝની હોટસ્ટાર અને સોની મ્યુઝિક ઈન્ડિયાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.
સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બધાંને આંચકો લાગ્યો છે
સુશાંતના ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ તેને ભૂલી નથી શકી રહ્યાં
હવે સુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યૂટ દ્વારા શ્રદ્ધાજંલિ આપવામાં આવશે
આ કાર્યક્રમમાં ઓસ્કર એવોર્ડ વિનિંગ મ્યુઝિક કંપોઝર અને ડિરેક્ટર એઆર રહેમાન સિવાય શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ, મોહિત ચૌહાણ, સુનિધિ ચૌહાન, શાશા તિરૂપતિ, જોનિટા અને હૃદય ગટ્ટાની ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનો સોન્ગ તારે ગિન શ્રેયા ઘોષાલ અને મોહિત ચૌહાણને ગાયું છે. જ્યારે મસખરી સુનિધિ ચૌહાણ અને હૃદ ગટ્ટાનીએ ગાયુ છે.
હાલમાં જ નેહા કક્કડે પણ સુશાંતને આપ્યું મ્યુઝિકલ ટ્રિબ્યૂટ
હાલમાં જ બોલિવૂડની સિંગિંગ ક્વીન નેહા કક્કડે પણ સુશાંતને મ્યુઝિક ટ્રિબ્યૂટ આપ્યું હતું. નેહા કક્કડે સુશાંતની ફિલ્મ કેદારનાથનું જાન નિસાર ગીત ગાઈને તેને શ્રદ્ધાજંલિ આપી હતી. આ સોન્ગ નેહાએ તેની યૂટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતે 14 જૂને તેના બાન્દ્રા સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.