સુશાંત સિંહ રાજપૂતની અચાનક મોતથી બધાંને ઘેરો આઘાત લાગ્યો છે. સુશાંતની આત્મહત્યા બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મને લઈને વિવાદ છેડાયો છે. ઘણાં સેલેબ્સ સુશાંતની મોત મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન સ્ક્રીન રાઈટર અને ફિલ્મ એડિટર અપૂર્વ અસરાનીએ સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી છે કે, કોઈએ તેની મોત બાદ ચુપ રહેવું જોઈએ નહીં.
સુશાંતની મોત બાદ બોલિવૂડમાં છેડાઈ નેપોટિઝ્મની જંગ
સુશાંતના કેસમાં પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે
હવે બોલિવૂડના આ શખ્સે જણાવી ચોંકાવનારી વાતો
અપૂર્વ અસરાનીએ ટ્વિટ કરીને લખ્યું- સુશાંતને સ્કર્ટ ચેઝર કહેવામાં આવતો હતો. મીટૂ મામલે આરોપ લગાવવામાં આવ્યો હતો. કામમાં પણ તેને પ્રોબ્લેમેટિક કહેવામાં આવતો હતો અને તેનું કરિયર ખતમ કરી દેવામાં આવ્યું. આપણે ચુપચાપ જોતા રહ્યાં. થોડાં દિવસ બાદ તેણે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. હવે ઘણાં લોકો તેને અસ્થિર ઠેરવવા માટે આતુર છે. હવે ચુપ ન રહો. આ વિશે વાત કરીએ.
#SushantSinghRajput was called a skirt chaser, falsely accused in a #metoo case, labelled problematic at work & his career written off. We watched silently. Days later, he was found dead by hanging. Now many are eager to label him 'unstable'. Don't be silent now. Talk about this.
સુશાંતની મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે અને અત્યાર સુધી 30થી વધુ લોકોના નિવેદન નોંધી ચૂકી છે. સુશાંતના પરિવાર, તેના મિત્રો, રિયા ચક્રવર્તી, મહેશ શેટ્ટી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી, મુકેશ છાબડા, આદિત્ય ચોપડા, એકટરેનો કૂક અને બોલિવૂડ પ્રોડક્શન હાઉ,માં કામ કરનારા લોકોથી પણ પૂછપરછ કરી ચૂકી છે.
તમને જણાઈ દઈએ કે, હાલમાં જ આર બાલ્કીએ નેપોટિઝ્મ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટથી સારા કલાકાર શોધીને બતાવો પછી ચર્ચા કરીશું. આના પર અપૂર્વએ તેને સણસણતો જવાબ આપતા કહ્યું કે જો ફિલ્મી પરિવારોથી બહાર જોઈએ તો આવા ઘણાં બધાં નામ મળશે.