ડાયાબિટીસના દર્દીઓ અને હૃદય રોગો સંબંધિત બીમારીઓમાં આ ડ્રાયફ્રટનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવાથી થાય છે ફાયદો
હૃદયરોગમાં ડ્રાયફ્રૂટ્સ છે ઉત્તમ
અખરોટનું સેવન કરવાથી થશે ફાયદો
ડાયાબિટીસમાં પણ રહેશે રાહત
ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવે છે, તેથી આપણે પણ આ જીવલેણ રોગથી હંમેશા સાવધાન રહેવાની જરૂર છે. લોકો વધુ ઓઇલી અને બિનઆરોગ્યપ્રદ આહાર લે છે. જે સ્વાદિષ્ટ જરૂર હોય છે પરંતુ હૃદયના સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં અમુક ડ્રાયફ્રુટ્સ ખાવાથી હૃદયરોગનો ખતરો ઘટાડી શકાય છે.
હૃદયને રાખે છે સ્વસ્થ
આમ તો દરેક ડ્રાય ફ્રુટ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે, પરંતુ જો તમે અખરોટનું સેવન કરો છો તો તે હાર્ટ હેલ્થ માટે કોઈ દવાથી ઓછું નથી. હૃદય આપણા શરીરનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, તેને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોની કમી ન થવા દો.
અખરોટ છે ગુણકારી
અખરોટને સ્ટીરોલ્સ અને વનસ્પતિ આધારિત ઓમેગા-3 ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે, અને તે લિનોલેનિક એસિડથી પણ સમૃદ્ધ છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યાદ રાખો કે જો લોહીની નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, તો તે પહેલા બ્લડ પ્રેશર વધારશે અને પછી હાર્ટ એટેક જેવા હૃદય સંબંધિત રોગોનો ભય ઉભો થાય છે.શાકાહારીઓ ખાસ કરીને અખરોટના સેવનથી લાભ મેળવે છે કારણ કે તે ઓમેગા-3 અને 6 ફેટી એસિડની દૈનિક જરૂરિયાત પૂરી કરે છે.
ડાયાબિટીસમાં અસરકારક
અખરોટમાં પોષક તત્વોની કોઈ કમી નથી, તેમાં ફાઈબર, વિટામિન ઈ, મિનરલ્સ અને હેલ્ધી ફેટ જોવા મળે છે. તેને ખાવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે, પરંતુ તે ટાઇપ 2 ડાયાબિટીસના સંચાલનમાં પણ મદદ કરે છે.
વધુ પડતા અખરોટ ખાવાથી નુકસાન થાય છે
તેમાં કોઈ શંકા નથી કે અખરોટ પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે, પરંતુ તેને મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ, નબળા લોકો અખરોટના 10-12 પીસ ખાઈ શકે છે, જ્યારે સ્વસ્થ લોકો 6-7 પીસ અખરોટ ખાઈ શકે છે. પરંતુ આના કરતા વધારે અખરોટનું સેવન કરશો તો નુકસાન થશે. હૃદયરોગના દર્દીઓએ અખરોટના 2 થી 4 પીસ જ ખાવા જોઈએ. જો જરૂર કરતા વધારે ખાવામાં આવે તો કેલેરી વધે છે અને પછી ફાયદો થવાને બદલે નુકશાન થાય છે.