વિધાનસભાના સત્ર દરમિયાન ખાનગી સોસાયટીના રી-ડેવલોપમેન્ટ માટે રજૂ કરાયેલા બિલને મંજૂરી આપવામાં આવી છે. જો કે 75 ટકા રહેણાંક ધરાવતા નાગરિકોની મંજૂરી આવશ્યક રહેશે.
મળતી માહિતી મુજબ જૂની ઇમારતોના રી-ડેવલમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવવા વિઘાનસભામાં બીલ પસાર કરાયું હતું. ત્યારે રાજ્યપાલે રી ડેવલપમેન્ટ બીલને લીલી ઝંડી આપી હતી.
મહત્વનું છે કે, ગુજરાત ઓનરશિપ ફ્લેટસ એક્ટ 1973માં સુધારો કરાયો. જે સુધારા અંતર્ગત 25 વર્ષથી જૂની ઇમારતોને રી-ડેવલોપ કરાશે. વિધાનસભા સત્ર દરમિયાન સર્વાનુમતે બિલ પસાર કરાયું હતું.