કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી મળી છે. અને આજે નવી શિક્ષણનીતિ જાહેર કરવામાં આવશે. ત્યારે નવી શિક્ષણ નીતિમાં કેન્દ્રીય અને બોર્ડની પરીક્ષામાં પણ બદલાવ થઇ શકે છે. સિંગલ રેગુલેટર-માનવ સંસાધન વિકાસ મંત્રાલય યૂજીસી અને AICTEને એક સાથ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
કેન્દ્રીય કેબિનેટમાં નવી શિક્ષણનીતિને મંજૂરી
આજે નવી શિક્ષણનિતીની જાહેર કરવામાં આવશે
સિંગલ રેગુલેટર-બોર્ડ પરીક્ષામાં થઇ શકે છે બદલાવ
6થી 14 વર્ષના બાળકો માટે શિક્ષાના અધિકારનો કાયદો
નવી શિક્ષણ નીતિમાં બોર્ડની પરીક્ષાઓને લઇને પણ બદલાવ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને કોર્સ પસંદ કરવાની આઝાદી હશે. અને સ્કીલ પર ખાસ ધ્યાન અપાશે. આ ઉપરાંત આરટીઇ એક્ટમાં પણ બદલાવ થઇ શકે છે. 6થી 14 વર્ષના બાળકો માટે શિક્ષાના અધિકારનો કાયદો છે. જેમાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે હવે આમા પ્રી-પ્રાઇમરીને પણ સામેલ કરી શકાય છે.
સ્થાનિકભાષા પર પણ જોર
સાથે જ સ્થાનિકભાષા પર પણ જોર આપવામાં આવી શકે છે. સ્કૂલમાં સંસ્કૃત ઉપરાંત ઉડિયા, તેલુગૂ, તમિલ, પાલી અને મલયાલમ ભાષાને પણ સામેલ કરી શકાય છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રેગુલેટર બનાવાનો પ્લાન પહેલા જ તૈયાર કરી લીધો છે. જેનું નામ હશે નેશનલ હાયર એજ્યુકેશન રેગુલેટર ઓથોરિટી અથવા હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. કેન્દ્ર સરકારનું માનવું છે કે શિક્ષાના ક્ષેત્રમાં મોટા બદલાવની જરૂરત છે જેથી ભારત જ્ઞાનનું સુપર પાવર બની શકે. સાથે જ નવી શિક્ષા નીતિમાં રમતના પણ પાઠ્યક્રમ હશે.
નવી શિક્ષા નીતિમાં શું?
નવી શિક્ષા નીતિમાં શિક્ષાના અધિકાર કાનૂનના દાયરાને વ્યાપક બનાવાયું છે
હવે 3 વર્ષથી 18 વર્ષના બાળકોને શિક્ષાનો અધિકાર કાનૂન 2009ની અંદલ લવાશે
કલા, સંગીત, શિલ્પ, રમત, યોગ, સામુદાયિક સેવા જેવા વિષયને પાઠ્યક્રમમાં સમાવાશે
બાળકોમાં જીવન જીવવાની જરૂરી કૌશલ અને જરૂરી ક્ષમતા વિકસિત કરવા ભાર અપાશેે
ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિશ્વસ્તરીય અને ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ અભ્યાસ પર ભાર
હાયર એજ્યુકેશનમાં વર્લ્ડ ક્લાસ રિસર્ચ ફોકસ કરાશે
અંડર ગ્રેજ્યુએટ પ્રોગામનું માળખુ પણ બદલવામાં આવશે
હવે કોર્સ દરમિયાન અનેક ધોરણથી નીકળવા કે પ્રવેશ કરવા અનેક વિકલ્પ મળશે
પાઠ્યક્રમમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓને સામેલ કરાશે
પ્રાઈવેટ સ્કૂલોને મનમાની રીતે ફી વધારતા રોકવાની ભલામણ
પરંપરા, સંસ્કૃતિ અને ભાષાની વિવિધતાને ધ્યાનમાં રખાઈ
બદલાતા સમાજની જરૂરિયાતના આધારે નવી શિક્ષા નીતિ
ઉચ્ચ ગુણવત્તા અને વ્યાપક શિક્ષા સુધીની પહોંચ નક્કી કરાઈ