પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદે એની મંજૂરી મળ્યા બાદ આવતા સપ્તાહે એનો ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને જોતા હવે વૈજ્ઞાનિકોએ એની સારવાર શોધવાનો નવો પ્રયોગ શરૂ કર્યો છે. આ કડીમાં હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ફેવિપિરાવિર (Favipiravir) નામની એન્ટી વાયરલ દવાનો દેશમા ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદને એની મંજૂરી મળ્યા બાદ આવતા સપ્તાહે ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
CSIRના મહાનિદેશક ડૉ.શેખર માંડે જણાવ્યું કે ફેવિપિરાવિર એક એવી દવા છે જે પહેલાથી ઇન્ફ્લૂન્ઝાની સારવારમાં ભારત સહિત ઘણા દેશોમાં પ્રયોગ કરી રહી છે. અમને આશા છે કે એનાથી કોરોના નાયરસ પર કાબૂ મેળવી શકાય છે. એમને જણાવ્યું કે આ દવા દ્વાકા કોરોના વાયરસની સારવાર કરવા માટે સીએસઆઇઆર અને એક અન્ય કંપનીએ મંજૂરી માંગી હતી. સીએસઆઇઆરને એની પરવાનગી મળી ગઇ છે. અમે આશા વ્યક્ત કરી રહ્યા છીએ કે આવતા સપ્તાહ સુધી અમે એની પર કામ શરૂ કરી દઇશું.
Drug Controller General of India has given approval for clinical trials of Favipiravir which is used in influenza in Japan, China etc & could be potentially useful against #COVID19 & a phytopharmaceutical which is an extract of a plant: CSIR Director General Shekhar Mande pic.twitter.com/fxEZy1MBqR
ડૉ. શેખર માંડે જણાવ્યું કે ફેવિપિરાવિર એક સુરક્ષિત દવા છે અને એના ટ્રાયલમાં સીધા ફેઝ-2નું પરીક્ષણ શરૂ કરવામાં આવી શકે છે. એમને જણાવ્યું કે અમને આશા છે કે એનો ટ્રાયલ એક મહિનામાં પૂર્ણ થઇ જશે. જો ટ્રાયલનું પરિણામ સારું આવે છે તો અમે કોરોના વાયરસથી લડનારી દવાને ખૂબ જલ્દી અને સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાય.
દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 56342 થઇ
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3390 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 103 લોકોનું મોત થયું છે. હવે સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 56342 થઇ ગઇ છે. જ્યારે આ ખતરનાક વાયરસથી ભારતમાં 1886 લોકોના મોત થઇ ગયા છે. જણાવી દઇએ કે છેલ્લા 24 કલાકમાં 1273 લોકો ઠીક થઇને ઘરે પરત ફર્યા છે. નવા આંકડા પ્રમાણએ 29.35 ટકા દર્દી આ બિમારીથી હવે ઠીક થઇ રહ્યા છે.