10 જાન્યુઆરીથી શરુ થનારી કોરોનાની રસીના પ્રિકોશન ડોઝ માટે આજથી એટલે કે શનિવારથી અપોઈમેન્ટનું બુકિંગ શરુ થઈ રહ્યું છે. કેન્દ્રએ એમ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે પ્રિકોશન ડોઝ લેનારાને કોવિન પોર્ટલ અથવા એપના માધ્યમથી અલગથી રજિસ્ટ્રેશન કરાવવાની જરુર નથી.
આ લોકોને મળશે પહેલા આનો પ્રિકોશન ડોઝ
આની પહેલા શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી ઉપરની ઉંમરવાળા ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકો કોઈ પણ કોરોના રસીકરણ સેન્ટર પર સીધા જઈ અપોઈમેન્ટ બુક કરાવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી નિવેદનનો સંદર્ભ ટાંકતા સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે 8 જાન્યુઆરીએ શિડ્યૂલ જારી કરવામાં આવ્યુ. ઓનસાઈટ અપોઈમેન્ટની સુવિધા રસીકરણની સાથે 10 જાન્યુઆરીથી શરુ થશે.
ઓમિક્રોનના પ્રસારની વચ્ચે કોરોના રસીના પ્રિકોશન ડોઝ લગાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે એલાન કર્યુ હતુ કે કેન્દ્ર સરકાર ઓમિક્રોન વેરિએન્ટના તેજીથી થઈ રહેલા પ્રસારની વચ્ચે કોરોના રસીના પ્રિકોશન ડોઝ લગાવશે. કેન્દ્ર સરકારે પહેલા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ અંગે અધિસૂચના જારી કરી આ જણાવ્યું છે કે બૂસ્ટર ડોઝ પહેલી રસીના બન્ને ડોઝથી અલગ નહીં હોય. આ દરમિયાન દેશમાં અત્યાર સુધી 150 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે.