ગાંધીનગરઃ રાજ્યમાં ખૂબ ચર્ચાતો વિષય એટલે ફી નિર્ધારણ. નવુ સત્ર શરૂ થાય તે પહેલા ફી અંગે અસમંજસ દૂર થાય તે ખૂબ જરૂરી છે. આ દિશામાં સરકારે પહેલ કરી છે. રાજ્ય સરકારે ફી નિયમન માટે રાજ્યકક્ષાની અને ઝોનલ કક્ષાની કમિટીના અધ્યક્ષોની નિમણૂક કરી દીધી છે.
તમામ અધ્યક્ષો માટે હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસની પસંદગી કરવામાં આવી છે. જે પ્રમાણે રાજ્યકક્ષાની કમિટીના અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ ડી.એ. મહેતાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્યકક્ષાના નાયબ અધ્યક્ષ તરીકે નિવૃત્ત જસ્ટિસ એચ.બી.અંતાણીની નિમણૂક કરવામાં આવી છે.
ઝોન વાઈઝ અધ્યક્ષોની વાત કરીએ તો અમદાવાદ ઝોન ફી નિયમન કમિટીના અધ્યક્ષ તરીકે જસ્ટિસ કે.એ.પુંજની નિમણુંક કરી છે. રાજકોટ કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત જસ્ટિસ આર.ડી. કોઠારીની નિમણૂક કરાઈ છે. તો વડોદરા કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત જસ્ટિસ જી.આર.રાણાની નિયુક્તિ કરાઈ છે.