કોરોનાને પહોંચી વળવા દેશ એક તરફ અનેક પ્રયત્નો કરવામાં લાગ્યો છે. ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ મેડિકલ કમિશનની રચના કરવામાં આવી છે.
NMCના અધ્યક્ષ તરીકે ડો.સુરેશચંદ્ર શર્માની નિયુક્તિ
ડો, સુરેશચંદ્ર શર્મા AIIMSના પૂર્વ HOD
NMC ગુજરાતના સભ્ય તરીકે ગુજ. યુનિના VC ડો.હિમાંશુ પંડ્યા
આ NMCના અધ્યક્ષ તરીકે ડો.સુરેશચંદ્ર શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડો.સુરેશચંદ્ર શર્મા AIIMSના પૂર્વ HOD છે. 3 વર્ષના સમયગાળા માટે ડો.સુરેશચંદ્રની નિયુક્તિ કરવામાં આવી છે. NMC ગુજરાતના સભ્ય તરીકે ગુજરાત યુનિ.ના VC ડો.હિમાંશુ પંડ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નેશનલ મેડિકલ કમિશન અધિનિયમ 2019
એનએમસી અધિનિયમ 2019 ગુણવત્તા અને સસ્તી તબીબી શિક્ષા માટે એક પદ્ધતિ નક્કી કરે છે. આ દેશના તમામ ભાગોમાં પર્યાપ્ત અને ઉચ્ચ ગુણવત્તા વાળા ડોક્ટરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. તબીબી શિક્ષા, વ્યવસાય અને સંસ્થાનોના તમામ પાસાઓના વિકાસ અને વિનિયમન માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા છે.