શિવસેનાના કાર્યકરોએ બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ કરી, જેના પર નવનીત રાણાએ વીડિયો શેર કરીને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ'.
શિવસેનાના કાર્યકરોએ બાગી MLA તાનાજી સાવંતની ઓફિસમાં કરી તોડફોડ
જેના પર નવનીત રાણાએ કર્યો વીડિયો શેર
કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ'
મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે રાજકારણ ગરમ થતું જોવા મળી રહ્યું છે.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આઘાડી સરકાર સહિત પક્ષને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.તે સાથે જ બળવાખોર ધારાસભ્યો સામે શિવસેનાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.આજે પુણેમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં એ શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. આ દરમિયાન કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી બાજુ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા વીડિયો શેર કર્યો અને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ'.
मैं अमित शाह से उन विधायक के परिवारों को सुरक्षा प्रदान करने का अनुरोध करती हूं जो उद्धव ठाकरे को छोड़कर बालासाहेब की विचारधारा से जुड़े रहकर अपने निर्णय ले रहे हैं। उद्धव ठाकरे की गुंडागर्दी खत्म हो, मैं राज्य में राष्ट्रपति शासन लगाने का अनुरोध करती हूं:अमरावती सांसद नवनीत राणा pic.twitter.com/EYDOXqhRtR
જેમાં તે કહે છે, "આ ગુંડાગીરી બંધ થવી જોઈએ. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ગુંડાગીરી, સત્તાનો દુરુપયોગ, રાજ્યમાં બંધારણને ખતમ કરવાના નિયમો લાવ્યા છે." તેમણે કહ્યું, “હું વિનંતી કરું છું કે તેમના પરિવારોને સુરક્ષા આપવામાં આવે તેમજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે.તેમણે વધુમાં કહ્યું, "તમે કહો કે આ ધારાસભ્યો તેમનાથી કેમ અલગ થયા?" તેમણે ગૃહ પ્રધાન અમિત શાહને હાથ જોડીને વિનંતી કરી કે બાળાસાહેબની વિચારધારાને અનુસરતા આ ધારાસભ્યોના પરિવારોને સુરક્ષા આપવામાં આવે.
બાગી MLAની ઓફિસમાં તોડફોડને શિવસેનાના નેતા ચંદ્રકાંતે જણાવ્યું એક્શનું રીએક્શન
તમને જણાવી દઈએ કે, શિવસેનાના મોટા નેતા ચંદ્રકાંત જાધવે પુણેમાં બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતના કાર્યાલયમાં તોડફોડને યોગ્ય ઠેરવતા કહ્યું કે આ માત્ર કાર્યવાહીની પ્રતિક્રિયા છે. તેમણે કહ્યું કે, તમામ ધારાસભ્યોને શિવસેનાની ભાષામાં જવાબ આપવામાં આવશે અને તેથી જ આ પ્રતિક્રિયા હવે રાજ્યમાં દરેક જગ્યાએ જોવા મળશે.