પાન લીધા વગર એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધારેનું નાણાંકીય ટ્રાન્ઝેક્શન કરનાર તમામ વ્યક્તિગત અને બિનવ્યક્તિગત શ્રેણીને 31 મે પહેલા પાન કાર્ડની અરજી કરવી પડશે.
ઇન્કમ ટેક્સ વિભાગે પહેલાથી જ એના માટે સમય સીમાને જારી કરી દીધી હતી. આવું નહીં કરવા પર વિભાગે દંડની જોગવાઇ કરી છે.
આયકર કાનૂનના સેક્શન 139A પ્રમાણે ગત નાણાંકીય વર્ષમાં કોઇ કંપની, ટ્રસ્ટ, એલએલપી, હિંદુ અવિભાજિત પરિવાર વગેરે છે અને જે ભારતમાં પાન કાર્ડ વગર વેપાર કરી રહી છે અને જેનું વાર્ષિક ટર્ન ઓવર 2.5 લાખ રૂપિયાથી વધારે છે એમને 31 મે પહેલા એના માટે અરજી કરવી પડશે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે 5 ડિસેમ્બર 2018 ના રોજ આ માટે નોટિફિકેશન જારી કરી હતી. આ નોટિફિકેશનમાં 31 મે છેલ્લી તારીખ રાખવામાં આવી હતી. નોટિફિકેશન પ્રમાણે આ કંપનીઓ, ટ્રસ્ટ વગેરેના નિદેશક, પાર્ટનર, ટ્રસ્ટી, સંસ્થાપક અને સીઇઓની પાસે જો પાન કાર્ડ નથી તો એમને પણ એના માટે અરજી કરવી પડશે. આઇટીઆર નહીં ભરનાર કંપનીઓને પાન કાર્ડ માટે અરજી કરવી પડશે.
આયકર એક્સપર્ટના એક અધિકારીએ જણાવ્યું છે કે જો આવું કરવામાં આવશે નહીં તો સીબીડીટી એવી કંપનીઓ અને વ્યક્તિઓ પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારશે.